ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ રૂરલ એલસીબી દ્વારા પેરોલ અને વચગાળાના જામીન પર ફરાર વેડવા ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને ધંધુકા ત્રણ રસ્તા પાસેથી બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ આજીવન કેદની સજા પામેલ છે જેમને 2012માં વિરમગામના હાસલપુર નર્મદા કેનાલ પાસે શ્રમિક મજૂરોને બનાવી લૂંટ ચલાવી શ્રમજીવી એક મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
જે કેસમાં આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને 2016માં તમામ આરોપીઓને આજીવન કેદની સજા પામી હતી. આરોપીઓએ કુલ 11 જેટલા ગુના આચરેલા છે. જેમાં ધાડ સહીત હત્યા,લૂંટ સહીત બળાત્કાર અને અન્ય ગુન્હાઓ આચરેલા છે. આ બધા આરોપીઓ છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરેલા હતા. અને રીઢા અને ખુંખાર આરોપીઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે