Ahmedabad News : અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે અમદાવાદમાં ભદ્રકાળી માતાની 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રા નીકળશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહી શકે છે.
જગન્નાથની જેમ નગરદેવી પણ નીકળશે
જગન્નાથ પુરી બાદ અમદાવાદની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ત્યારે અમદાવાદના આંગણે ફરી એકવાર ભવ્ય યાત્રા નીકળવાની છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળવાની છે. અગાઉ નગરદેવીની નગરયાત્રા નીકળતી હતી, ત્યારે હવે 614 વર્ષ બાદ નગરયાત્રાનું આયોજન કરાયું છે.
ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી પહેલા ઉમેદવારનું નિધન, કોંગ્રેસના નેતાને આવ્યો હાર્ટ એટેક
કેવી હશે આ નગરયાત્રા
26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહીને રથને પ્રસ્થાન કરાવશે.
ક્યાં ક્યાંથી નીકળશે
આ નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજી, ગુરુ માણેકના આદિસ્થાન માણેકચોક, ઓફિસ, ખમાસા, વગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચરો. રૂટ ઉપર થોડા થોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. નિજમંદિરમાં યાત્રા બાદ હવનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ગુજરાતી દીકરી લાવી વિદેશી જમાઈ, અમદાવાદમાં વાજતે-ગાજતે આવી જાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે