આશ્કા જાની/અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટને હાઇકોર્ટની લીલીઝંડી મળી ગઈ છે. હવે હાઈકોર્ટના ચુકાદા બાદ ગાંધી આશ્રમના આજુબાજુના વિસ્તારને રી ડેવલપમેન્ટ કરી શકાશે. તુષાર ગાંધીએ ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ અટકાવવા અરજી કરી હતી. પરંતુ પ્રોજેક્ટને લઇ હાઇકોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.
તમને જણાવી દઈએ કે અગાઉ ગાંધી આશ્રમના રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર રોક લગાવવા હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે ગાંધી વિચારોને પ્રાધાન્ય મળે તે સારી બાબત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે