Ahmedabad News : અમદાવાદના વટવા ખાતે રવિવારે મોડી રાત્રે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ગેન્ટ્રી ધરાશાયી થયો હતો. જેને કારણે અન્ય ટ્રેન વ્યવહારને અસર થઈ છે. દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, તો કેટલીક ડાયવર્ટ કરાઈ છે. આ દુર્ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. આ અકસ્માતને પગલે 15 ટ્રેનો આંશિંક રદ, 6 ટ્રેનોને રિશિડ્યુલ અને 6 ટ્રેનોનો રૂટ બદલવામાં આવ્યો છે.
કેવી રીતે બની દુર્ઘટના
રવિવારની મોડી રાત્રે, અમદાવાદના વટવા નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રી લપસીને પડ્યું હતું. આ અકસ્માત રાત્રે 11:00 વાગ્યાની આસપાસ થયો હતો, જેના કારણે મુંબઈ-અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેનોના સંચાલનને અસર થઈ હતી. દુર્ઘટનાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, ડાયવર્ટ કરવામાં આવી છે અથવા ટૂંકા સમય માટે ટર્મિનેટ કરવામાં આવી છે.
અમદાવાદના વટવામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી, વટવા નજીક રોપડા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બની રહ્યો છે બ્રિજ#ahmedabad #gujarat #news #zee24kalak pic.twitter.com/OtFUN3PpMG
— Zee 24 Kalak (@Zee24Kalak) March 23, 2025
રેલવે કામગીરી પર મોટી અસર થઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોન્ક્રીટ ગર્ડર લોંચ કર્યા પછી ગેન્ટ્રી પાછી ખેંચવામાં આવી રહી હતી ત્યારે તેનું સંતુલન ગુમાવ્યું અને પડી ગયું. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતમાં બુલેટ ટ્રેનના નિર્માણાધીન વાયડક્ટને કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ નજીકના રેલ્વે ટ્રેકને નજીવું નુકસાન થયું હતું, જેના કારણે રેલ્વે કામગીરીને અસર થઈ હતી.
રાજકુમાર જાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ધડાકો, શરીર પર મારની ઈજાના નિશાન મળ્યા
રેલવે મુસાફરી ખોરવાઈ, કેટલીક ટ્રેનો રદ અને કેટલીક ડાયવર્ટ કરાઈ
ગેન્ટ્રી તૂટી પડતાં વટવા-અમદાવાદ ડાઉન-લાઈનને અસર થઈ છે, જેના કારણે અપ-લાઈન પરથી કેટલીક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે પ્રશાસને તાત્કાલિક અકસ્માત રાહત ટ્રેન (ART)ને રવાના કરી અને નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.
કેટલીક ટ્રેનો કેન્સલ, શોર્ટ ટર્મિનેટ અને ડાયવર્ટ કરવામાં આવી છે
રદ કરાયેલી ટ્રેનો (24/03/2025)
શોર્ટ ટર્મિનેટેડ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
મુસાફરોની મદદ માટે મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા ટર્મિનસ, બોરીવલી, ઉધના જંકશન અને સુરત રેલ્વે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે.
પાટીદાર Vs ક્ષત્રિયની લડાઈમાં સમાધાન, ગોંડલને મિરઝાપુર ગણાનારાને ગણેશ ગોંડલનો જવાબ
અધિકારીઓની તકેદારી, તપાસ ચાલુ
NHSRCL એ ખાતરી આપી છે કે બુલેટ ટ્રેન વાયડક્ટને કોઈ નુકસાન થયું નથી અને શક્ય તેટલી વહેલી તકે રેલ્વે કામગીરી સામાન્ય કરવા માટે પ્રયાસો ચાલુ છે. NHSRCLએ જણાવ્યું હતું કે, '23/03/2025 ના રોજ રાત્રે 11 વાગ્યે, વટવા (અમદાવાદ નજીક) ખાતે વાયડક્ટ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોંચિંગ ગેન્ટ્રી કોંક્રિટ ગર્ડર્સ સ્થાપિત કર્યા પછી પાછી ખેંચી રહી હતી, ત્યારે તે લપસીને પડી ગઈ હતી. આ ઘટનાથી નજીકની રેલ્વે લાઈન પ્રભાવિત થઈ છે. NHSRCLના વરિષ્ઠ અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર નજર રાખી રહ્યા છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને બાંધકામ હેઠળના માળખાને કોઈ નુકસાન થયું ન હતું.
હાલમાં રેલ્વે અધિકારીઓ અને NHSRCL ટીમ અસરગ્રસ્ત વિભાગને વહેલી તકે સાફ કરવામાં અને કામગીરીને સામાન્ય કરવામાં વ્યસ્ત છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને અપડેટ કરેલ સમયપત્રક તપાસવાની સલાહ આપવામાં આવી છે.
આમ આદમી પાર્ટીની ગુજરાત માટે મોટી જાહેરાત, ગોપાલ ઈટાલિયાને ચૂંટણી જંગમાં ઉતારશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે