Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની માહિતી મળતાં જ રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. આ સંદર્ભમાં, મુખ્યમંત્રી કાર્યાલયે માહિતી આપી હતી કે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તો દુર્ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ દુર્ઘટના મામલે વાતચીત કરી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે.
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.
મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે.
ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં એર ઇન્ડિયાના પેસેન્જર વિમાન દુર્ઘટનાની ઘટના બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવા સૂચના આપી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે અને આ વિમાન દુર્ઘટનામાં રાહત અને બચાવ કાર્ય માટે NDRF ટીમો અને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે