Home> Gujarat
Advertisement
Prev
Next

ટ્રાફિકથી ધમધમતો અમદાવાદના આ બ્રિજ વાહનો માટે આજથી બંધ કરાયો, જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad Shashtri Bridge Closed : અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ. પીરાણાથી વિશાલા તરફ આવતો એક સાઈડનો રસ્તો બંધ. તમામ પ્રકારના ભારે અને મધ્યમ વાહનો માટે જાહેરનામું. આજ રાતથી 8 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ

ટ્રાફિકથી ધમધમતો અમદાવાદના આ બ્રિજ વાહનો માટે આજથી બંધ કરાયો, જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad News : મેગા સિટી અમદાવાદ સતત ધમધમતુ શહેર છે. ત્યારે અહી એક પણ રસ્તો બંધ થાય તો હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાય છે. ત્યારે પીરાણાથી વિશાલા જતો શાસ્ત્રી બ્રિજ ફરી એક વાર બંધ કરી દેવાશે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે.

fallbacks

બ્રિજનું સમારકામ કરવા માટે લેવાયો નિર્ણય 
વિશાલા સર્કલથી પીરાણા સર્કલ તરફ જતા આવતો શાસ્ત્રી બ્રિજની કેટલીક બેરીંગ- પેડેસ્ટલ જર્જરિત થઈ ગયેલ હોવાથી તેના સમારકામ અન્વયે ભારે અને મધ્યમ પ્રકારના માલ વાહક અને પેસેન્જર વાહનોની અવર-જવર તા.08/02/26 સુધી સંપૂર્ણ બંધ કરવા પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બ્રિજ પર ભારે વાહનો, પેસેન્જર વાહનો અને માલવાહનની અવરજવર આજથી બંધ કરવામાં આવી છે. 

9 ઓગસ્ટ 2025 થી 8 ફેબ્રુઆરી 2026 સુધી શાસ્ત્રી બ્રિજ ભારે વાહનો, પેસેન્જર વાહનો અને માલવાહનની અવરજવર બંધ કરવામાં આવી છે.  

અંબાલાલ પટેલની આગાહી : આ તારીખથી મોટો પલટો આવશે, ઓગસ્ટ મહિનો તોફાની જશે
 
વિશાલા ખાતે આવેલ શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ વિભાગે જાહેરનામુ બહાર પાડીને ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. 9 ઓગસ્ટની રાતથી 8 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ મુકાયો છે. ભારે વાહન અને પેસેન્જર વાહન બ્રિજ ઉપર આવજ નહીં કરી શકે. શાસ્ત્રી બ્રિજ ઉપર પ્રતિબંધ મુકાતા ડાયવર્ટ કરાયેલા રૂટ ઉપરથી ભારે વાહન અને પેસેન્જર વાહનોએ આવા જવાનું રહેશે. 

અમદાવાદ શહેર પોલીસે આ જાહેરનામું બહાર પાડ્યું છે. શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ રહેશે. 9 ઓગસ્ટથી 8 ફેબ્રુઆરી 2026 સુધી પ્રતિબંધ મકાયો છે. ડાયવર્ટ રૂટ ઉપરથી ભારે વાહનો અવરજવર કરી શકશે તેવું જાહેરનામામાં જણાવાયું છે. 

વૈકલ્પિક માર્ગની વિગત
૧. લાંભા જશોદાનગર તથા બરોડા એક્સપ્રેસ વે તરફથી આવતો ટ્રાફિક પીરાણા જંકશનથી જમણી બાજુ વળી પીરાણા ડમ્પીંગ યાર્ડ થઈ કેલિકો મીલ બહેરામપુરા ચાર રસ્તા થઈ ડાબી બાજુ વળી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ થઈ અંજલી ચાર રસ્તા થઈ ડાબી બાજુ વાસણા વિશાલા વાળા માર્ગે જઈ શકશે.

૨. સરખેજ જુહાપુરા તરફથી આવતો ટ્રાફિક વાસણા રોડ અંજલી ચાર રસ્તા થઈ જમણીબાજુ વળી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ થઈ બહેરામપુરા ચાર રસ્તા કેલિકો મિલથી જમણી બાજુ વળી પીરાણા ડમ્પીંગ યાર્ડ થઈ પીરાણા જંકશન થઈ મુખ્ય માર્ગ ઉપર જશોદાનગર લાંભા બરોડા એક્સપ્રેસ રોડ તરફ જઈ શકશે.

પાટીદાર સમાજની દીકરીઓ લેવાયા મોટા નિર્ણય, નવરાત્રિમાં ડિસ્કો દાંડિયા પર પ્રતિબંધ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More