Home> Ahmedabad
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા આ મુદ્દાઓ પર થઈ ચર્ચા! સમગ્ર દેશમાંથી 100 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો

સમગ્ર ભારતમાંથી 100 જેટલી સામાજિક સંસ્થાઓ અને સમાજસેવકોએ ભાગ લીધો. આ કોન્ફરન્સમાં 9 વિશેષજ્ઞોના પેનલની રચના કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા G.S.C.B.T.ના ડિરેક્ટર ડૉ. કાર્તિક શાહ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાતમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા આ મુદ્દાઓ પર થઈ ચર્ચા! સમગ્ર દેશમાંથી 100 જેટલી સંસ્થાઓએ ભાગ લીધો

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. આર્યાવર્ત ધ લાઈફ સેવિયર્સ સંસ્થા દ્વારા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં “પ્રયાસ” નામથી રક્તદાન જાગૃતિ અને થેલેસેમિયા પ્રિવેન્શન માટે એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

fallbacks

હવે જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું કેવું હશે? ગૃહમાં સરકારનો જવાબ

આ આયોજનમાં સમગ્ર ભારતમાંથી 100 જેટલી સામાજિક સંસ્થાઓ અને સમાજસેવકોએ ભાગ લીધો. આ કોન્ફરન્સમાં 9 વિશેષજ્ઞોના પેનલની રચના કરવામાં આવી હતી, જેની અધ્યક્ષતા G.S.C.B.T.ના ડિરેક્ટર ડૉ. કાર્તિક શાહ દ્વારા કરવામાં આવી હતી. આ અંગે કાર્યક્રમના આયોજક ગૌરાંગ મિશ્રાએ જણાવ્યું હતું કે, અહીં તમામ સમાજસેવકોએ કોન્ફરન્સના વિષય અંગે પોતપોતાની રાય રજૂ કરી હતી. 

માત્ર 500 રૂપિયામાં મળી શકે છે ગેસ સિલિન્ડર, ગુજરાત સરકારના મંત્રીએ આપ્યા સંકેત

જેમાં મુખ્ય મુદ્દાઓમાં “પ્રાથમિક શિક્ષણમાં રક્તદાન અને થેલેસેમિયાને સમાવી લેવા”, “દરેક ધર્મના ધાર્મિક ગુરુઓ દ્વારા રક્તદાનને પ્રોત્સાહન આપવું અને થેલેસેમિયાની જાગૃતિ ફેલાવવી”, “સરકારી હોસ્પિટલોમાં રક્તદાન માટેનો સમય વધારવો”, “રક્તદાતાઓને સમયાંતરે સન્માનિત કરવું”, “રક્તદાન દરમિયાન રક્તદાતાને ઇન્સ્યોરન્સ કવર મળવું”, “થેલેસેમિયા વિશે સરકાર દ્વારા વધુમાં વધુ જાહેરાતો કરવી”, અને “સરકારી હોસ્પિટલોમાં બ્લડ રિપ્લેસમેન્ટ માટે દર્દીઓને પરેશાન ન કરવું” જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.

ગુજરાત સરકારની વિદ્યાર્થીઓ માટે દમદાર છે આ યોજના; વિદ્યાર્થીઓને મળે છે મફત લેપટોપ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More