અમદાવાદઃ આજનો દિવસ અમદાવાદના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાશે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની સૌથી મોટી ઘટના બની છે. આજે બપોરે 1.17 કલાકે એર ઈન્ડિયાની વિમાન જતી ફ્લાઇટે ટેકઓફ કર્યું હતું. પરંતુ ગણતરીની મિનિટો બાદ આ પ્લાઇટ ક્રેશ થઈ હતી. આ વિમાનમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. વિમાન દુર્ઘટના બાદ તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું ચે.
રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે.
આ પણ વાંચોઃ Plane Crash: વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના નામ આવ્યા સામે, તમે પણ જુઓ લિસ્ટ
એર ઈન્ડિયાએ કરી પુષ્ટિ
એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી. અમદાવાદથી બપોરે 13.38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે. વધુ માહિતી પૂરી પાડવા માટે અમે 1800 5691 444 પર એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર પણ સ્થાપિત કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે