સુરત: સુરત રાજદ્રોહ કેસ મામલે પાટીદારો માટે સારા સમાચાર સામે આવ્યા હતા. જેમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાનાં જામીન મંજૂર કરાયાં છે. સમાચારનને પગલે સુરતનાં પાટીદારોમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. મહત્વનું છે કે સુરતમાં રાજદ્રોહ કેસ મામલે છેલ્લાં ઘણાં સમયથી અલ્પેશ કથીરિયા જેલમાં બંધ છે.
અમરોલી પોલીસ મથખે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. હાલ અલ્પેશનાં જામીન મંજૂર કરાતાં દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અલ્પેશને જેલમુકત કરાશે. અલ્પેશ કથીરિયાને અમદાવાદથી સુરત લાવવામાં આવ્યો છે. અન્ય કેસોનમાં જામીન મળ્યા બાદ અલ્પેશ કથીરિયાને જેલમુકત કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે