ઝી બ્યુરો/અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અંબાજીની ગબ્બર રોપ-વે સેવા ચાર દિવસ બંધ રહેશે. મેઈનટેઈનન્સની કામગીરીના કારણે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 2 થી 5 ઓગસ્ટ સુધી ગબ્બર રોપ વે સેવા બંધ રહેશે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીના પગલે આ નિર્ણય લેવાયો છે. જેના કારણે માઈભક્તોને પગથિયા ચડીને ગબ્બર પર્વત પર જઈ શકશે. પરંતુ 6 ઓગસ્ટથી રોપ વે સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.
ધોરાજીમાં મોટી ઘટના : તાજીયા ઉપાડતા સમયે 15 લોકોને કરંટ લાગ્યો
અંબાજી મંદિર ખાતે જગતજનની માં અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઈભક્તો આવતા હોય છે. ત્યારે ઉષા બ્રેકર્સ દ્વારા અંબાજીના ગબ્બર પર્વત પર 4 દિવસ સુધી રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની મેઈન્ટેનેન્સની કામગીરીને લઈને 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. આ સમય દરમિયાન યાત્રાળુઓ પગથિયા ચડીને માતાજીની અખંડ જ્યોતના દર્શન કરી શકશે. 6 ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ થશે.
5 લાખથી ઓછો છે પગાર? તો પણ ITR ફાઈલ કરવું જરૂરી, જાણી લો નિયમ નહીં તો દંડ ભરવો પડશે
તમને જણાવી દઈએ કે, સુપ્રસિદ્ધ અંબાજી ગબ્બર પર્વત પર માતાજીની અખંડ જ્યોતના દર્શન કરવા જતા યાત્રાળુઓની સુવિધા માટે રોપ-વે ઉપલબ્ધ છે. પરંતુ સમયાંતરે ઉષા બ્રેકર્સ દ્વારા રોપ-વે સેવા માટે મેઈનટેઈનન્સ કરવામાં આવે છે. આ રોપ-વેની વર્ષભરમાં સમયસર દેખરેખ રાખવામાં આવતી હોય છે. ત્યારે હવે ઉષા બ્રેકર્સ દ્વારા 4 દિવસ રોપ-વે સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહમંત્રીના ગામમાં જ ઢગલાબંધ ‘તથ્ય’ : અબ ઠોકો તાલી, જન્નત મીરની સ્પીડ તો 160
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે