અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું આગળ વધશે. જી હાં શ્રવણ પંચકમાં વરસાદ સારો થાય તો તે પછી પણ સારો વરસાદ થાય છે. આવતીકાલે પંચક શરૂ થતાની સાથે જ સારા વરસાદની શક્યતા છે. ચારથી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ થશે. સાથે રથયાત્રા દરમિયાન પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. 15 અને 16 જુલાઈઐએ ગુજરાતમા પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે 19 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડશે.
અંબાલાલ પટેલે તારીખો સાથે કરી આગાહી
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 25 જૂને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જ્યારે સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમા ભારે વરસાદની આગાહી કરાઈ છે....જ્યારે 26 જૂને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 27 અને 28 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જેથી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે.
આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે
હવામાન વિભાગના ડો.રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે સોમવારે જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે થી અતિ ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે