ઝી મીડિયા/અમદાવાદ :ગુજરાતના તમામ શહેર-જિલ્લાઓમાં આજે જનતા કરફ્યૂ (Janta Curfew) નું પાલન કરાયું હતું. સતત ધમધમતા રહેતા અમદાવાદ (ahmedabad) શહેરમાં પણ આજે ચુસ્તપણે જનતા કરફ્યૂનું પાલન કરાયું હતું. અમદાવાદીઓ આજે આખા દિવસ ઘરમાં પૂરાઈ ગયા હતા. ત્યારે બીજી તરફ આખા અમદાવાદને સ્વચ્છ કરવાનું કામ ચાલી રહ્યું હતું. અમદાવાદમાં જનતા કરફ્યૂ વચ્ચે એએમસી દ્વારા કમર કસવામાં આવી હતી. એએમસી દ્વારા અમદાવાદને કોરોના વાયરસ (corona virus) થી મુક્ત કરવાનું કામ ચાલી રહ્યું હતું.
અમદાવાદમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તમામ વિસ્તારોમાં સ્પ્રે છાંટી અને ફ્યુમીગેશનની કામગીરી કરાઈ હતી. અમદાવાદના વિવિધ 14 ફાયર સ્ટેશનના કર્મચારીઓ આ કામમાં જોડાયા હતા. દવાના છંટકાવના માધ્યમથી કોરોના વાયરસને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જનતા કરફ્યૂ હોવાથી દવાના છંટકાવમાં પણ ફાયર વિભાગને સરળતા થઈ રહી હતી. જુદા જુદા વિસ્તારોની ફાયર વિભાગની ટીમે કામગીરી કરી હતી.
તાપીમાં પણ કોરોના વાયરસ ને પગલે તાપી જિલ્લા પ્રશાસન એલર્ટ થયેલું જોવા મળ્યું હતું. વ્યારા નગર પાલિકા અને ફાયર વિભાગ દ્વારા તાપી શહેરી સાફસફાઈ હાથ ધરાઈ હતી. બસ સ્ટેશનની સાફસફાઈ હાથ ધરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે