Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીના વતન વડનગરમાં ઐતિહાસિક મ્યુઝિયમ થયું તૈયાર, પર્યટકો માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતનું વડનગર એક ઐતિહાસિક શહેર છે. આ શહેરથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવે છે. હવે આ વડનગરમાં એક ઐતિહાસિક મ્યુઝિયમ બનીને તૈયાર થયું છે. આ મ્યુઝિયમમાં લોકોને વડનગરના ઈતિહાસની તમામ માહિતી મળશે. 

 PM મોદીના વતન વડનગરમાં ઐતિહાસિક મ્યુઝિયમ થયું તૈયાર, પર્યટકો માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

તેજસ દવે, મહેસાણાઃ ઐતિહાસિક નગરી, જેનો ઉલ્લેખ પૌરણિક ધાર્મિક ગ્રંથોથી લઈ ઈતિહાસના દરેક પન્નાઓમાં દર્જ છે તે વડનગરનું ભવ્ય મ્યુઝિયમ બનીને તૈયાર થઈ ગયું છે. પ્રધાનમંત્રીના વતનમાં બનેલું આ મ્યુઝિયમ ટુરિઝમમાં ચાર ચાંદ લગાવી દેવાનું છે. ઐતિહાસિક અને અજાયબી કહી શકાય તેવા આ મ્યુઝિયમની શું છે વિશેષતા?...કેમ અન્યથી છે અલગ?...જુઓ આ અહેવાલમાં....

fallbacks

ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. ઐતિહાસિકના દરેક પન્નાઓમાં જેનું નામ દર્જ છે તે વડનગરના પેટાળમાં જેટલો ઈતિહાસ દબાયેલો છે તે તમામ ઈતિહાસ તમારી નજર સમક્ષ હવે આવી જશે...તમે આજથી હજારો વર્ષે પહેલાની દુનિયામાં જતા રહો તેવો અહેસાસ થશે...અહીં તમને એ તમામ વસ્તુઓ અને સ્થાપ્ત્યોના દર્શન થશે જેની તમે માત્ર કલ્પના જ કરી હશે...અલગ અલગ કાળની માટી અને તે કાળના અવશેષો તમને એક જ સ્થળે જોવા મળી જશે...કારણ કે પ્રધાનમંત્રીના વતન વડનગરમાં 21 મીટર ઉચ્ચુ અને 326 પીલ્લર પર ખાસ મ્યુઝિયમ ઉભુ કરવામાં આવ્યું છે.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ મ્યુઝિયમ ત્રણ માળનું છે. આ તમામ ફ્લોર પર તમને એક અલગ અહેસાસ થશે...અલગ અલગ ફ્લોર પર અલગ અલગ કાળ અને તેની ચીજવસ્તુઓ અને અવશેષો વિશે જાણવા મળશે,,,એટલું જ નહીં તે સમયના અવશેષોને તમારી નજર સમક્ષ જોઈ પણ શકશો...મ્યુઝિયમમાં પ્રવેશતાં જ તમને વિશાળ સ્ક્રીન પર ઓડિયો અને વીડિયોના માધ્યમથી ઈતિહાસમાં ખોવાઈ જશો...ન માત્ર ગુજરાતી કે હિન્દી...વિશ્વની અનેકવિધ ભાષાઓમાં તમે ઈતિહાસની એ તમામ વાતો જાણી શકશો જે તમે માત્ર સાંભળી હશે કે વાંચી હશે.

આ પણ વાંચોઃ દ્વારકામાં દરિયાઈ સુરક્ષા માટે જોખમી દબાણો કરાયા દૂર, સતત પાંચમાં દિવસે કાર્યવાહી

શું છે મ્યુઝિયમમાં ખાસ?
કરોડોના ખર્ચે તૈયાર થયેલું મ્યુઝિયમ ત્રણ માળનું 
તમામ ફ્લોર પર એક અલગ અહેસાસ થશે
વિવિધ કાળ અને તેની ચીજવસ્તુઓ, અવશેષો વિશે જાણવા મળશે

વડનગર પોતાના પેટાળમાં બહુ મોટો ઈતિહાસ છૂપાવીને બેઠું છે...વડનગરમાં પુરાતન વિભાગના ખોદકામ દરમિયાન ઘણી એવી વસ્તુઓ મળી છે જે આ મ્યુઝિયમમાં તમે જોઈ શકશો...અહીં આવનારા પર્યટકો એ તમામ વસ્તુઓને પોતાની નરી આંખે નિહાળી શકશે...અહીં તમે 2500 વર્ષ જૂના...હા આજથી બે હજાર પાંચસો વર્ષ પહેલાના મળી આવેલા અવશેષો જોઈ શકશો...અહીં તમે તે સમયના વાસણ, રમકડાં, તાવીજ, સિક્કા, ઓઝારો સહિતની વસ્તુઓ જોવા મળશે.

મ્યુઝિયમમાં શું જોવા મળશે?
2500 વર્ષ પહેલાના મળી આવેલા અવશેષો જોઈ શકશો
પૌરાણિક વાસણ, રમકડાં, તાવીજ, સિક્કા, ઓઝારો જોવા મળશે

જે વડનગરની ઓળખ કંઈ આજકાલની નથી...વડનગર એવું નગર છે જેનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. વડનગરની હાલ ઓળખ પ્રધાનમંત્રીનું વતન હોવાને કારણે વધારે બની છે. ત્યારે આ જ વડનગરમાં બનનારુ આ મ્યુઝિયમ હવે વિશ્વના પ્રવાસીઓને ખેંચી લાવશે...જેનાથી વડનગરમાં તો નવી રોજગારીનું સર્જન થશે જ, સાથે સાથે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ ધબકતો થશે...પ્રવાસીઓ વધશે એટલે નાની મોટી રોજગારી વધશે અને તેનો સીધો ફાયદો રાજ્યના સામાન્ય લોકોને થશે...તો તમે પણ આ ઐતિહાસિક નગર અને તેના મહત્વપૂર્ણ મ્યુઝિયમની મુલાકાત લેવાનું ન ભૂલતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More