અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં બસ સેવા પુન કાર્યરત કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 10 સપ્ટેમ્બરથી અમદાવાદમાં એએમટીએસ અને બીએમટીએસ બંને સેવા પહેલાની જેમ શરૂ કરાશે. હાલ બંન્ને બસ સેવા નદી પાર ચાલુ કરાઈ ન હતી. બંન્ને સેવાની બસ અગાઉની જેમ જ અપાશે, પરંતુ નિયત સંખ્યામાં બસ દોડશે. લાલ દરવાજા બસ ટર્મિનસ પણ શરૂ થશે. પરંતુ બસમાં તેની ક્ષમતાના 50 ટકા મુસાફરો જ બેસાડવામાં આવશે. તો સાથે જ બસમાં ઉભા રહીને કે લટકીને મુસાફરી થઈ શકશે નહિ.
કોરોના મહામારીમાં અમદાવાદની AMTS અને BRTS બસ અટકી પડી હતી. અનલોકમાં અનેક રુટની બસ સર્વિસ ખુલ્લી કરાઈ હતી. પરંતુ માત્ર 50 ટકા બસો જ દોડાવવામાં આવતી હતી. પરંતુ અનલોક 4માં બસ સેવા પહેલાની જેમ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલથી ગુરુવારથી અમદાવાદભરમાં AMTS અને BRTS બસો દોડશે. આવતીકાલે અમદાવાદમાં સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે. પરંતુ આ માટે કેટલાક નિયમોનો અમલ કરવાનો રહેશે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને સેનેટાઈઝેશન સુધીની તમામ કાળજી રાખવામાં આવશે.
આ પણ વાંચો : કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ પૂરી, આજથી ગુજરાતમાં હેલ્મેટ માટે થશે 500 રૂપિયાનો દંડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે