ઉદય રંજન/અમદાવાદ: ઢબુડી માતાના નામે લોકોને સાથે છેતરપિંડી કરનાર ધનજી ઓડ વિરુદ્ધ ભોગ બનનાર ભીખાભાઇ માણિયા નામના ભોગ બનનારએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મહત્વનું છે, ઢબુડીમાતાના શરણે આવ્યા બાદ ધનજી ઓડે દવા બંધ કરવાનું કહેતાભીખાભાઇ બારડના 22 વર્ષીય પુત્રનું કેન્સરની બિમારીના કારણે મોત હતું.
ત્યારે આ અંગે પોલીસે અરજીના આધારે તપાશ શરૂ કરી છે. અને પોલીસે અરજી કરનારનું નિવેદન નોધીને ઢબડુ માતા સામે કાયદીય તપાસ શરૂ કરી છે. મહત્વનું છે, કે બોટાદના ગઢડા શહેરમાં રહેતા ભીખાભાઇ માણિયાનો 22 વર્ષીય દીકરો કેન્સરથી પીડિત હતો. ભીખાભાઈ માણિયાએ પોતાના દીકરાને બચાવવા માટે દવા અને દુવા બંનેના રસ્તા અપનાવ્યા હતા. આવામાં કોઈએ તેમને ઢબુડી માતાનો સંપર્ક કરવા કહ્યું હતું. ઢબુડી માતા કેન્સરની તથા અન્ય બીમારી દૂર કરવાનો તથા નોકરી, લગ્નના પ્રશ્નો ઉકેલવાનો દાવો કરે છે.
આવામાં ભીખાભાઇ માણિયાએ પુત્રનું કેન્સર દૂર કરવા માટે ત્રણ વર્ષ પહેલાં ઢબૂડી માતાનો સંપર્ક કર્યો હતો. ઢબુડી માતાના કહેવાથી ભીખાભાઈએ પુત્રની કેન્સરની દવા બંધ કરી હતી. જેને કારણે પુત્રનું અવસાન થયું હતું. હાલ જ્યારે ઢબૂડી માતા ઢોંગી હોવાના સમાચાર મળ્યા તો ભીખાભાઈએ વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો, અને પોતાની આપવીતી જયંત પંડ્યાને જણાવી હતી.
ગુજરાતના લોકોને અંધશ્રદ્ધાના નામે લોકોને ઠગનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાજીએ પત્રકાર પરિષદ યોજીને તેમના પર લગાવામાં આવેલા આક્ષેપ ખોટા છે તેવું કહ્યું હતું. જે લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે તે લોકો સાબિત કરીને બતાવે. દૈવી શક્તિમાં ન માનનારા લોકએ આક્ષેપો કર્યા કે, માતાજી પાસે કરોડો રૂપિયાનું મકાન છે તો જે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હોય તે લોકો સાબિત કરીને બતાવે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે