Banaskantha News : સમય આવી ગયો છે કે, સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવામા આવે. આ માટે અલગ અલગ સમાજે પહેલ કરીને કુપ્રથાઓને દૂર કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના ડુવા ગામનો રબારી સમાજ પણ આગળ આવ્યો છે. સમાજ દ્વારા કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બનાસકાંઠાના ડુવા ગામમાં રબારી સમાજ દ્વારા ખાસ બેઠકનું આયોજન કરાયું હતં. જેમાં સમાજમાં વ્યાપેલા કેટલાક દૂષણો મામલે ચર્ચા વિચારણા કરાઈ હતી, અને બેઠકના અંતે કેટલાક દૂષણોને દૂર કરવા તેના પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરાઈ હતી. સાજે સમાજ દ્વારા બનાવાયેલા નવા નિયમોનું પાલન ન કરનાર અને તેને તોડનારને દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
રબારી સમાજ દ્વારા લેવાયેલા નિર્ણયો
આમ, રબારી સમાજના આગેવાનો દ્વારા સમાજને સુધારણાના માર્ગે લઈ જવા માટે કમર કસી છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન પ્રથાને દૂર કરવાનો આ પ્રયાસ સરાહનીય છે.
લોકો વ્યાજ લઈને પણ પ્રથાઓ નિભાવતા હોય છે, આ પ્રથાઓ દૂર કરવામાં આવે તો માણસ વ્યાજના ખપ્પરમાં ઓછો હોમાય. તે માટે રબારી સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ તથા અન્ય પ્રસંગોને કારણે ખર્ચાઓ વધી રહ્યાં છે, જેને દૂર કરીને સમાજના સંતાનોના શિક્ષણ કાર્ય અર્થે વાપરવાનો નિર્ણય લેવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે