Banaskantha News : ગુજરાતના અનેક સમાજોમાં આજે પણ લોકો રીતરિવાજોના દેવા તળે દબાયેલા જોવા મળે છે. રીતરિવાજો અને પરંપરાના નામે રૂપિયાનો ધુમાડો કરાય છે. ત્યારે ધીરે ધીરે અનેક સમાજ પરિવર્તનના માર્ગે આગળ વધી રહ્યા છે. સમાજમાંથી આવા દૂષણો દૂર થાય તે માટે સૌથી પહેલા પાટીદાર સમાજે પહેલ કરી છે. ત્યારે હવે અન્ય જાતિના લોકો પણ લગ્ન-મરણ તથા અન્ય પ્રંસગોએ થતા ખોટા ખર્ચાના નિયમોને તિલાંજલિ આપી રહ્યાં છે. આવામાં હવે ગુજરાતનો મેઘવાળ સમાજ આગળ આવ્યો છે. રવિવારે એક કાર્યક્રમમાં મેઘવાળ સમાજે સામાજિક પરિવર્તન કરવાનું નક્કી કર્યું છે.
રવિવારે વિવિધ ગોળમાં વહેંચાલેયા મેઘવાળ સમાજના આગેવાનો એક મંચ પર એકઠા થયા હતા. જેમાં સમાજના આગેવાનો દ્વારા કેટલાક નિર્ણયો લેવાયા છે. આગેવાનોએ ભેગા મળીને સમાજમાં કેટલાક પરિવર્તનો સૂચવ્યા હતા. જે સમાજ સુધારાની રાહ પર લઈ જશે. આગેવાનોની મીટિંગના અંતે નિર્ણય લેવાયો કે, સમાજમાં નવુ બંધારણ લાવવામાં આવશે. મહિલાઓના મંતવ્ય આદાનપ્રદાન કરીને સમાજના હિતમાં નવા નિર્મયો લેવાશે.
આટલા પાણીમાં આબુ કેવી રીતે જઈશું, બનાસકાંઠા-સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો
સમાજના કયા નિયમો પર પરિવર્તન આવશે
આમ, સમાજના અનેક રીતિરિવાજોના બદલાવ પર ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. આ નવા નિયમો મોંઘવારીના સમયમાં લોકોના ખોટાખર્ચા બચાવશે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં મોટી સંખ્યામં મેઘવાળ સમાજના લોકો રહે છે. થરાદ, વાવ અને સુઇગામ પંથકમાં મેઘવાળ સમાજ 82 ગોળ, 48 ગોળ, 42ગોળ, 32ગોળ, 10 ગામનું ગોળ જેવાં 235 પરગણાંમાં વહેંચાયેલો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે