ઉદય રંજન/અમદાવાદઃ ભાજપના કચ્છના વરિષ્ઠ નેતા જયંતી ભાનુશાળીની હત્યાના સંદર્ભે ગુરુવારે પોલીસે છબીલ પટેલના ફાર્મ હાઉસમાં કામ કરતા રાહુલ પટેલ અને નીતિન પટેલની ધરપકડ કરી હતી. રેલવે પોલીસ દ્વારા શુક્રવારે આ બંને આરોપીઓને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમને 7 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
રેલવે પોલીસે જુદા-જુદા 20 કારણો રજૂ કરીને રાહુલ અને નીતિનની પુછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જેની સામે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
જયંતી ભાનુશાલી હત્યાઃ શાર્પ શૂટરના CCTV ફૂટેજ બહાર આવ્યા
પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા કારણ
હિટ એન્ડ રન: ટેમ્પાની ટક્કરે બાઇક સવાર 20 ફૂટ ફંગોળ્યો, ઘટના CCTVમાં કેદ
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને આખી રાત પુછપરછ કરી હતી. પુછપરછ કર્યા બાદ શુક્રવારે તેમને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયા હતા. આ બંને આરોપી જયંતી ભાનુશાળીની હત્યાના મુખ્ય કાવતરાખોર છબીલ પટેલના ખાસ માણસો હતો અને એટલા માટે જ તેમને શાર્પ શૂટરને મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આથી, તેમની પાસેથી ઘણી બધી માહિતી બહાર આવી શકે એમ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે