PM Modi Gujarat Visit : આજથી બે દિવસ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ રહેવાની છે. કારણ કે, PM મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજોના એક જ સમયે ગુજરાત પ્રવાસથી કંઈક નવાજૂની થશે તેવા સંકેત મળી રહ્યાં છે.
સેલવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બેદિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સંઘ પ્રદેશ સેલવાસ અને સુરતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે બપોરે સુરત એરપોર્ટ પર આગમન બાદ તેઓ સેલવાસ પહોંચશે. જ્યાં સેલવાસ, દીવ દમણ અને દાદરાનગર હવેલીના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. તેઓ ગુજરાતની જનતાને રૂ 2587 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. સેલવાસમાં જાહેર કાર્યક્રમ બાદ પીએમ સુરત પહોંચશે. સુરતમાં રોડ શો ઉપરાંત જાહેર સભાને પણ સંબોધશે.
નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ ચોથી વખત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ નાનકડા પ્રદેશમાં ઉત્સાહનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં રૂપિયા 2587 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પીએમ દાદરા નગર હવેલીના સેલવાસમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આધુનિક નમો મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ કરશે. આ સાથે જ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો પણ એનાયત કરશે. તો દમણમાં સી ફ્રન્ટ રોડ પર 1.1 km લાંબા ટ્રેક પર ટોય ટ્રેન નું લોકાર્પણ કરશે. દીવમાં પણ તેઓ વિકાસના કામોના લોકાર્પણ કરશે. સેલવાસમાં યોજાઈ રહેલ જાહેર કાર્યક્રમના સ્થળ પરથી જ આ કામોનું લોકાર્પણ અને ખાતર્મુહુત કરી જંગી સભાને પણ સંબોધન કરશે.
શેરબજારમાં દેવું થતા પત્ની-દીકરાની હત્યા કરી, પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન
આજથી રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. બે દિવસના ગુજરાત પ્રવાસમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. હાલની સ્થિતિથી ગુજરાત કોંગ્રેસને એક્ટિવ મોડમાં લાવવા માટે ચર્ચા થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે. આજે સવારે 9:30 કલાકે રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 10 વાગે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પહોંચ્યા બાદ બેઠકોનો દોર શરૂ થશે. જેમાં પોલિટિકલ અફેર કમિટી અને સેલ-ડિપાર્ટમેન્ટ ચેરમેન સાથે બેઠકો કરશે. બપોરે 12 વાગે જિલ્લા અને શહેર પ્રમુખો સાથે બેઠક કરશે. બપોરે 2 વાગે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠક કરશે. બપોર બાદ સમાજ સ્વેછીઓ અને અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. તો આવતીકાલે 8 માર્ચે સવારે 10 કલાકે રાજપથ ક્લબ પાસેના ZA હોલ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ કરશે.
CBSE બોર્ડની પરીક્ષામાં મોટો બદલાવ : હવે નવી પેટર્નથી પરીક્ષા લેવાશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે