Parsottam Rupala Controversy : ગુજરાતની રાજનીતિમાં આવતી કાલે સૌથી મોટો ભૂકંપ આવી શકે છે. પહેલા ક્યારેય ન બન્યું તે ગુજરાતમાં બનશે. ગુજરાતની રાજનીતિમાં શનિવારનો દિવસ ભૂકંપ લાવી દેશે. રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂતાણીઓ જોહર કરશે. ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે. ત્યારે ક્ષત્રિયાણીઓની આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ છે. અમદાવાદમાં ક્ષત્રાણીઓના જૌહરના નિર્ણય બાદ પોલીસ ક્ષત્રિય મહિલાઓના ઘરે પહોંચી છે. ક્ષત્રાણીઓના નિવેદન લેવા પોલીસની ટીમ પહોંચી છે.
હાલમાં ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને રાજપૂત સમાજમાં આક્રોશ વધતો જાય છે. પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને માંફી માંગી ચૂક્યા છે પરંતુ રાજપૂત સમાજ માફ કરવા માટે તૈયાર નથી. પરષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેથી અંતે રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરવાનું નક્કી કરી લીધું છે. આવતીકાલે 7 ક્ષત્રિય મહિલાઓ કમલમ પાસે જૌહર કરશે.
ફેમસ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટે બીજીવાર માર ખાધો, મહિલાનો ફોન લઈ લેતા ગુસ્સે થઈ મહિલા
હસતા મોઢે જોહર કરીએ છીએ રાજનીતિ ન કરતા
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની જૌહરની ચીમકી આપી છે. ક્ષત્રિય આગેવાન ગીતાબા પરમારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે આવતી કાલે કમલમમાં જૌહર કરીશું. આવતી કાલે 7 ક્ષત્રિયાણીઓ કમલમ પર જઈને જૌહર કરશે. આજે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું. અમે બે દિવસનું અલ્ટિમેટમ પૂરું થયું , તેથી આવતીકાલે અમે જૌહર કરીશું. આવતી કાલે લગ્નનું જોડું પહેરીને જૌહર કરીશું. હસતા મોઢે જૌહર કરીએ છીએ રાજનીતિ ન કરતા. અમે ક્ષત્રિયાણીઓ આવું ન સાંભળી શકીએ. જૌહર બાદ રાજપૂતો અને પાટીદારો શાંતિ જાળવે. પાટીદાર ભાઈઓએ જૌહર ન કરવા વિનંતી કરી. બીજા કોઈ પાટીદારને ટિકિટ આપો, રૂપાલાની ટિકિટ કાપો.
શું છે જૌહર
આ શબ્દ સાંભળતા જ રુવાડા ઉભા થઈ જાય છે. દિમાગના તાર હલવા લાગે છે કલ્પનાતો કરો એક કિલ્લામાં રાણી પદ્માવતી અને અને તેમની દાસીઓએ એક સાથે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. ક્યારે ક્યારે તો એવું લાગે છે આ ધરતી પણ લોહી માંગે છે. આ ધર્મ આ ખુમારી લોહી રેડીને મેળવી છે. રાજા રતનસિંહ પાસે પદ્માવતીએ પહેલા જ પરવાનગી માંગી લીધી હતી કે જો જરૂર પડશે તો જૌહર કરીશું અને એવું જ થયું. ખબર આવી કે લડાઈમાં રાજા રતનસિંહ શહીદ થયા છે ત્યારે રાણી પદ્માવતીએ જૌહર કરવાનું નક્કી કર્યું અને તેમની સાથે તેમની દાસીઓ અને કિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાની જાતને અગ્નીને સોંપી દીધી. આ છે ભારતીય નારી જેને પોતાની જાતને અગ્નીમાં સોંપી પરંતુ ખિલજી પાસે ના ગઈ. અને એ દાસીઓને પણ સલામ છે કે જેને ખિલજી પાસે જવા કરતા રાણી સાથે પોતોનો જીવ આપવાનું વિચાર્યું. 'સર કટા સકતે હે લેકીજ સર જુકા સકતે નહીં'.
Positive Story : ગુજરાતનો વામન પટેલ પરિવાર : પિતાએ હિંમત આપી, અને આજે દીકરીએ આભ કરતા ઉંચી ઉડાન ભરી
આજે રૂપાલાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતા ક્ષત્રિયો વધુ રોષે ભરાયા છે. ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. જેથી રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ ગુજરાત આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટો કાર્યક્રમ યોજાશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજશે. રૂપાલા અંગે આવતીકાલે બેઠકોનો દૌર ચાલશે. જે માટે ઉતેલિયાના યુવરાજ સાહેબ ભગીરથ સિંહને મોટી જવાબદારી અપાઈ છે. દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડવાની જવાબદારી સોંપાઈ છે. આવતીકાલે રૂપાલા વિરુદ્ધ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે. જેમાં રણનીતિ રાજકોટથી જ નક્કી કરવામાં આવશે. રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાણા પણ ગુજરાત આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટો કાર્યક્રમ યોજાશે. ગોધરામાં ક્ષત્રિય સંમેલન અને રાજકોટ આવેદન પત્ર અપાશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજશે.
Disclaimer : જોહરનો નિર્ણય જવાબદાર મહિલાઓનો અંગત છે. અમે ફક્ત માહિતીના હેતુથી આ સમાચાર પ્રસારિત કરી રહ્યા છીએ.
ગુજરાતમાં ભાજપ કેમ નથી હારતું, આ આંકડાઓ જાણશો તો કહેશો કે 26માંથી 26 જ જીતશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે