MBBS entrance test : મેડિકલ ક્ષેત્રે એડમિશન માટે NEET એન્ટ્રરન્સ એક્ઝામ આપવી જરૂરી છે. ત્યારે હવે NEET માં એડમિશનના નિયમો બદલાયા છે. હવે મેડિકલમાં પ્રવેશ માટે માત્ર ધો.૧૨ પાસ જ જરૂરી રહેશે. મેડિકલ પ્રવેશણાં હવે માત્ર ધોરણ 12 પાસ હોય તો પણ લાયક ગણાશે. તેમજ સમગ્ર એડમિશન પ્રોસેસ કેન્દ્રના હસ્તક જતી રહી છે. મેડિકલમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી કોલેજ ટ્રાન્સફર કરતા હતા તે પણ બંધ કરાયું છે.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ ૨૦૨૩ દ્વારા નવું નોટિફિકેશન કરી દેવામા આવ્યુ છે. જેમાં મેડિકલ પ્રવેશ માટે નીટ આપવા માટેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હાલમાં ધોરણ 12 માં 50 ટકા માર્કસ જરૂરી હતા, તે નિયમને બદલી દેવામાં આવ્યો છે. હવેથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે ધોરણ 12 માં પાસ થયેલા કોઈ પણ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી શકશે.
મોડી રાતે વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાત પર સંકટ વધ્યું, ગુજરાતથી બસ આટલે જ દૂર છે
આ ઉપરાંત સમગ્ર એડમિશન પ્રોસેસ હવે કેન્દ્ર સરકારના હસ્તક કરવામા આવી છે. વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના કાઉન્સેલિંગ પ્રોસેસના આધારે જ એડમિશન મળી શકશે.
આ નિયમો પણ જાણવા જેવા છે
અમદાવાદી વૃદ્ધને એકલતા દૂર કરવા બીજા લગ્ન કરવા ભારે પડ્યા, પત્નીએ એવો ઘટસ્ફોટ કર્યો
તો અન્ય નિયમો પણ એવા છે કે, અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ નીટની પરીક્ષા આપી શક્તી હતી, પરંતુ નવા નિયમો મુજબ હવે ધોરણ-12 માં માત્ર પાસ હોય તેવા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી મેડિકલમાં પ્રવેશ માટે લાયક બનશે. હવેથી નીટ પાસ થયા પછી વિદ્યાર્થીઓ ધોરણ-12 માં 50 ટકા પાસ છે કે નહિ તેની ચકાસણી નહિ થાય. તેનો પ્રવેશ માન્ય ગણાશે.
સાથે જ મેડિકલમાં પ્રવેશ માટે ધોરણ 12 માં 50 ટકાની મર્યાદા પણ કાઢી નાંખવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીને ઈન્ટર્નશિપ ફરજિયાત છે. તેમજ વિદ્યાર્થીઓ અગાઉ એક વર્ષ બાદ કોલેજ ટ્રાન્સફર માટે અરજી કરી શક્તા હતા, તે પ્રક્રિયા પણ બંધ કરવામાઆવી છે. હવેથી વિદ્યાર્થીઓ બીજી કોલેજમાં જવા માટે માઈગ્રેશનની અરજી નહિ કરી શકે.
હાઈકોર્ટના જજે સગીરાના ગર્ભપાત કેસમાં વકીલને કહ્યું, ખબર ન હોય તો મનુ સ્મૃતિ વાંચો
આમ, મેડિકલમાં એડમિશનના જાહેર કરાયેલા નવા નિયમોને આ વર્ષથી જ લાગુ કરી દેવામા આવશે. આ સાથે જ મેડિકલ કોલેજોના ઈન્સ્પેક્શન બંધ કરવાની પણ જાહેરાત કરાઈ છે. એટલે કે હવે નેશનલ મેડિકલ કમિશન દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં નહિ આવે. પરંતુ કોલેજોએ એફિડેવિટ આપવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે