Anand News બુરહાન પઠાણ/આણંદ : આણંદનાં આંકલાવમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અમિત ચાવડાનાં ગઢમાં ભાજપએ ગાબડુ પાડયું છે.તાજેતરમાં આંકલાવ પાલિકામાં ચુંટાયેલા પાંચ કોગ્રેસ પ્રેરીત અપક્ષોએ ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડયો છે, અને તે સાથે ભાજપએ પાલિકામાં સત્તા મેળવવા માટે બહુમત મેળવી લીધો છે.
આંકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ પ્રેરીત 14 અપક્ષો અને ભાજપનાં દસ સભ્યોનો વિજય થયો હતો, ત્યારે ભાજપને પાલિકામાં સત્તા મેળવવા ત્રણ સભ્યો ખુટતા હતા. ત્યારે ભાજપએ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અમિત ચાવડાને ફટકો આપતા પાંચ કોંગ્રેસ પ્રેરીત અપક્ષોને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપ્યો છે, અને તે સાથે પાલિકામાં ભાજપની બહુમતી થઈ છે, અને કોંગ્રેસનાં અમિત ચાવડાનાં ગઢમાંજ ભાજપએ ગાબડું પાડી કોંગ્રેસને ફટકો આપ્યો છે.
આંકલાવમાં કોંગ્રેસ પ્રેરીત પાંચ અપક્ષો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અમિત ચાવડાનાં ગઢમાં ગાબડું પડ્યું છે. 5 અપક્ષોનાં ટેકાથી આંકલાવ પાલિકામાં ભાજપ સત્તા કબ્જે કરશે. આંકલાવ પાલિકામાં 14 કોંગ્રેસ પ્રેરિત અપક્ષો અને 10 ભાજપનાં સભ્યો ચુંટાયા હતા. આણંદ કમલમ ખાતે કોંગ્રેસ પ્રેરીત અપક્ષોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાની ત્રણ નગર પાલિકાઓ બોરિયાવી, ઓડ અને આંકલાવની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઓડ અને બોરિયાવી નગર પાલિકામાં ભાજપે પુર્ણ બહુમત મેળવ્યો હતો. ઓડ નગર પાલિકામાં કૉંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. જ્યારે આંકલાવ નગર પાલિકામાં કૉંગ્રેસ પ્રેરીત 14 અપક્ષોને વિજય થયો છે. આંકલાવમાં ભાજપના 10 ઉમેદવારોનો વિજય થયો છે. બોરિયાવી નગર પાલિકામાં ભાજપે પ્રથમવાર બહુમત મેળવી સત્તા પ્રાપ્ત કરી છે. જયારે ઓડ પાલિકામાં ભાજપે 24 એ 24 બેઠકો પર સત્તા મેળવી છે. આંકલાવ કે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમીત ચાવડાનો ગઢ કહેવાય છે. અહીંયા ભાજપે પ્રથમ વાર મેન્ડેટ પર ચૂંટણી લડી 10 બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે. જ્યારે ઉમરેઠ નગર પાલિકામાં વોર્ડ નં 4 ની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે