Amreli Politics : અમરેલી- ભાજપના સિનયર નેતા દિલીપ સંઘાણીના SP "સંજય ખરાત" સામે આક્ષેપોમા દિલીપ સંઘાણીએ યુટર્ન માર્યો છે. તેમણે કહ્યું કે, મારે જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત માટે જાહેર નિવેદન કરતા પૂર્વે વિગતોની સત્યતા ચકાસવાની જરૂર હતી.
બે દિવસ પહેલા દિલીપ સંઘાણીએ SP "સંજય ખરાત" સામે ગંભીર આક્ષેપો બાદ નવો વળાંક આવ્યો છે. ભાજપ કાર્યાલય બંધ કરાવવા કેવી રીતે કાર્યાલય ચાલે આવી વાત કરનારા દિલીપ સંઘાણીએ જ મોટો ઘટસ્ફોટ કર્યો.
દિલીપ સંઘાણીએ કહ્યું કે, ડીએસપીની વાત મારા સુઘી પહોંચી હતી. સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો હતો અને હું બોલ્યો. મેં જયારે ડીએસપીનો સંપર્ક કર્યો ત્યારે ન થયો ડિબેટ પુરી થયા બાદ મારો સંપર્ક થયો મેં કહ્યું આવું કેમ બોલવું પડ્યું? ડીએસપીએ મને જાણ કરી આવુ હું બોલ્યો જ નથી ગેરસમજ ફેલાવી છે. કોઈએ આવી વાત પ્રગટ કરી. આવા નબળા શબ્દો હું ના બોલું. કાયદો ને વ્યવસ્થા રેતીની બાબતે ઉગ્રતાથી મારા ઉપર આક્ષેપો કર્યા તેનું મેં ખંડન કર્યું.
નરેશ પટેલને બદનામ કરવાના કાંડમાં ખોડલધામથી આવ્યું નિવેદન, જીગીષા પટેલ તપાસ કરાવે
તેમણે આગળ કહ્યું કે, ખરેખર તો ડીએસપીની વાત મારા સુધી પહોચાડી ત્યારે મારે તેમની સંપર્ક કરવાની જરૂર હતી. જો મારો સંપર્ક થયો હોત તો મારી ઉગ્રતા બતાવવાનો પ્રસંગ ન આવત. મારે સંયમ રાખી બધું જોવાની જરૂર હતી.
આમ, એસપી સંજય ખરાત સામે દિલીપ સંઘાણીએ આક્ષેપો કર્યા બાદ યુટર્ન લઈ સ્વીકાર્યું કે, એસપી આવું નથી બોલ્યા.
આ તમામ વિગતો અને તેમનુ નિવેદન માહિતીદોષયુક્ત અને સત્યથી વેગળી હોવાનું સંજય ખેરાતે ફોન કરીને દિલીપ સંધાણીને જણાવતા જ, દિલીપ સંધાણીએ પોતાની ભૂલ કબુલીને જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત માટે ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં હતા.
અમરેલીમાં શું થયું હતું
વાત જાણે એમ હતી કે, અમરેલીના લીલીયામાં દારૂ અંગે ભાજપ નેતા વિપુલ દુધાતે કરેલા પોલીસ પર ગંભીર આરોપ બાદ મામલો ગરમાયો હતો. ભાજપ નેતા વિપુલ દુધાતે પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે બુટલેગરો અને રેતી માફિયાઓ પોલીસની રહેમનજર હેઠળ પોતાની કામગીરી કરી રહ્યા છે. તે બાદ વળતા જવાબમાં પોલીસ તરફથી નિવેદન સામે આવ્યું હતું કે, વિપુલ દુધાત અવારનવાર પોલીસની કામગીરીમાં દખલગીરી કરી રહ્યા છે. જે બાદ વિવાદ વધુ વકરતા વિપુલ દુધાતના સમર્થનમાં ઈફકો ચેરમેન દિલીપ સંઘાણી અને પૂર્વ સાંસદ નારણ કાછડીયા આવ્યા હતા. સાથે જ અમરેલી પોલીસ પર હપ્તાખોરી અને રેતી માફિયાઓ સાથે મિલીભગતના ગંભીર આરોપ લગાવ્યા હતા.
અમરેલીમાં એક એકથી ચઢિયાતા બાહુબલી નેતા
હાલમાં ભાજપમાં સૌથી મોટી હલચલ એ અમરેલી જિલ્લામાં થઈ રહ્યાં છે. ભાજપના બાહુબલીઓના બિન્દાસ્ત આક્ષેપોને પગલે હાલમાં આ જિલ્લો ચર્ચાને એરણે છે. અમરેલીમાં ભાજપના નેતાઓ પોતાના અસ્તિત્વ બચાવવા માટે ઝઝૂમી રહ્યાં છે. અમરેલીમાં પાટીદાર દીકરીના કાંડમાં આબરૂના ધજાગરા છતાં નેતાઓ એકબીજા પર કાદવ ઉછળમાંથી બહાર આવી રહ્યાં નથી. પાટીદાર દીકરીના કાંડમાં ભાજપના જ નેતા કૌશિક વેકરિયા પર ઉડેલા છાંટા સાફ કરવામાં ભાજપને આંખે પાણી આવ્યું છે ત્યાં પોલીસ અને ભાજપના નેતાઓ વચ્ચે ફરી શાબ્દિક વોર ચાલુ થઈ ગઈ છે.
10 વર્ષના બાળકે દિલ જીતી લીધું! ગુલ્લકના રૂપિયા સૈનિકોના કલ્યાણ માટે દાન કર્યાં
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે