ગીર સોમનાથઃ રાજ્યમાં હવે ગણતરીના દિવસો બાદ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીની રણનીતિ ઘડી રહી છે. આજે સોમનાથમાં ભારતીય જનતા પાર્ટીની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, સૌરાષ્ટ્ર ભાજપના ધારાસભ્યો, સાંસદો અને સંગઠનના મહત્વપૂર્ણ પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હાજર રહ્યાં હતા. ત્યારબાદ અમિત શાહે સોમનાથ મંદિરમાં દર્શન પણ કર્યા હતા.
અમિત શાહે કાર્યકર્તાઓ સાથે કરી વાતચીત
વેરાવળ માર્કેટિંગ યાર્ડાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. જેમાં ભાગ લેવા અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ સવારે સોમનાથ પહોંચ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા પણ હાજર રહ્યાં હતા. અમિત શાહે કાર્યકર્તાઓ સાથે વાત કરીને ચૂંટણી જીતવાની રણનીતિ ઘડી હતી.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, સરકારે 1382 PSIની ભરતી કરી
સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ સીટો કબજે કરવા ભાજપની રણનીતિ
ગુજરાતમાં 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું હતું. એટલે આ વખતે ભાજપની નજર સૌરાષ્ટ્રની 53 સીટો પર છે. અમિત શાહે પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્રના અન્ય અગ્રણી નેતાઓ પણ પહોંચ્યા હતા.
થોડા દિવસમાં થશે ચૂંટણીની જાહેરાત
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આ મહિનાના અંત કે નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાની શક્યતા છે. 30 નવેમ્બર આસપાસ પ્રથમ તબક્કાનું અને 4 કે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાની શક્યતા છે. તો હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે