દેવભૂમિ દ્વારકાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે 10 મેએ સાંજે પાંચ વાગ્યાથી બંને દેશો સીઝફાયરની જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ પાકિસ્તાને પોતાની હરકતો ચાલુ રાખી અને ભારતમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાનની નાપાક હરકતનો વળતો જવાબ ભારતીય સેનાએ આપ્યો હતો. આ વચ્ચે દેવભૂમિ દ્વારજા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે તંત્રએ મોટો નિર્ણય લીધો છે.
તંત્રનો મોટો નિર્ણય
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે તંત્રએ સવારે છ કલાક સુધી બ્લેકઆઉટની જાહેરાત કરી છે. આ સાથે દ્વારકા જગત મંદિર પણ સાંજે 7.30 કલાક બાદ બંધ થઈ જશે. ગઈકાલે સીઝફાયર બાદ પાકિસ્તાને કરેલી નાપાક હરકત બાદ તંત્રએ આ નિર્ણય લીધો છે.
આ સિવાય ગુજરાતના અન્ય સરહદી જિલ્લા કચ્છ અને બનાસકાંઠામાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ જિલ્લાઓમાં જનજીવન સામાન્ય જોવા મળી રહ્યું છે. પાટણ, બનાસકાંઠા, જામનગર અને કચ્છ જિલ્લામાં હજુ બ્લેકઆઉટ વિશે નિર્ણય લેવાયો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે