હિતલ પારેખ/ગાંધીનગર :બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam)માં કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્યવ્યાપી આંદોલન થયા, પરીક્ષા રદ અને સરકાર પણ બદનામ થઈ. વિદ્યાર્થી આંદોલન ફાટી નીકળ્યા બાદ આખરે ગુજરાત સરકારે ગઈકાલે પરીક્ષા રદ થયાની જાહેરાત કરી હતી. ત્યારે બિનસચિવાલય પરીક્ષા રદ થયા બાદ શિક્ષણ વિભાગે પણ બોધપાઠ લીધો છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા લેવાનારી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા (Board Exam) માટે ખાસ આદેશો છૂટ્યા છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં પણ તકેદારીના પગલા લેવાશે તેવી જાહેરાત વિભાગ દ્વારા કરાઈ છે.
અમદાવાદ : પતિએ આવીને જોયું તો પત્નીની લાશ લોહીથી ખદબદતી હતી અને દીકરી રૂમમાં બંધ હાલતમાં હતી
દર વર્ષે માર્ચ મહિનામાં લેવાતી ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે. આ પરીક્ષા પર લાખો વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થાય છે. ત્યારે આ પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ આદેશ કર્મચારીઓને કરવામાં આવ્યા છે. લાખો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે તે માટે ખાસ તકેદારી રાખવાના આદેશ અપાયા છે. બિનસચલિવાલય પરીક્ષા રદ થયા બાદ આખરે તંત્ર જાગ્યુ છે અને બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ તંત્રને આ મામલે તાકીદ કરી છે.
મિત્રને મળવા ગયેલા મહેસાણાના ગુજરાતી પર અમેરિકામાં લૂંટારુઓ ત્રાટક્યા, ગુમાવ્યો જીવ
બિનસચિવાલય જેવી પરિસ્થિતિનું નિર્માણ બોર્ડની પરીક્ષામાં ન થાય તે ધ્યાન રાખવાની સલાહ અપાઈ છે. સાથે જ સીસીટીવીનો વ્યાપ વધે અને કોઈ વિદ્યાર્થી મોબાઈલ લઈને કે અન્ય કોઈ સાહિત્ય લઈને વર્ગખંડમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે