Amreli News : રવિવારના રોજ અમરેલીના દરિયામાં મળી આવેલી શંકાસ્પદ બોટને આખરે દમણના મધ દરિયામાંથી બોટને આંતરી લેવાઈ છે. હાલ આ બોટ અંગે તપાસ શરૂ કરાઈ છે.
કોસ્ટગાર્ડે રોકવાનો પ્રયાસ કર્યો, પણ બોટ ન રોકાઈ
ગત રોજ અમરેલીના જાફરાબાદના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાઈ હતી. જે જાફરાબાદથી 22 નોટિકલ માઈલ દૂર આ બોટ દેખાઈ હતી. માછીમારોએ બોટ રોકવાનો કર્યો પ્રયાસ, પરંતુ તે રોકાઈ ન હતી. બોટ ભાગતાં કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી બોટનો શરૂ પીછો કર્યો હતો. શંકાસ્પદ બોટને કારણે દરિયામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
આખરે આ બોટને દમણના દરિયા કિનારે આંતરી લેવાઈ હતી. પ્રાથમિક તપાસમાં આ બોટ ફિશિંગની હોવાની માહિતી મળી હતી. હેલિકૉપ્ટટર મારફતે બોટને આંતરી લેવાઈ હતી. કેટલાક બોટમાં સવાર લોકોને રાઉન્ડઅપ કરી બહાર કાઢી લેવાયા છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના કાવાદાવા : શું મુખ્યમંત્રી તેમના મંત્રીમંડળ ઉપર ગંગાજળ છાંટશે?
બોટમાં રહેલા લોકો કોણ છે આ અંગે હજુ સુધી કોઈ એજન્સીએ સ્પષ્ટતા નથી કરી. તેમજ આ બોટ કોસ્ટગાર્ડને જોઈને કેમ ભાગી હતી, તે પણ હજી સામે આવ્યું નથી. દમણ દરિયાઈ માર્ગ પરથી શંકાસ્પદ બોટ સુધી ઈન્ડિયન કોસ્ટગાર્ડ પહોંચી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે, હજી હાલમાં જ ફીશરીઝ વિભાગ દ્વારા પોરબંદર જિલ્લાની તમામ બોટોને માછીમારી માટે દરિયામાં જવા મંજુરી અપાઈ હતી. 14 મે 2025 થી માછીમાર બોટોને ટોકન ઈશ્યુ કરવા આદેશ કરાયા હતા. આઇએમબીએલ તથા નો ફિશીંગ ઝોનમાં માછીમારી માટે નહીં જવા સુચના જાહેર કરાઈ છે. માછીમારી બોટોએ સમુહમાં માછીમારી કરવા અને સંદેશાવ્યવહાર ચાલુ રાખવા જાણ કરવામાં આવી છે. દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ અથવા વ્યક્તિઓ જણાય તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા સુચના અપાઈ. ઓપરેશન સિંદૂર સમયે સરકારે માછીમારી બોટોને પરત બોલાવી લેવાઈ હતી.઼
અમરેલીના દરિયામાં દેખાઈ શંકાસ્પદ બોટ, કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરે પીછો કરતા જ જોઈને ભાગી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે