Chandipura Virus: કાળમુખા કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. ચાંદીપુરા વાયરસથી કુલ 27 બાળકોનાં મોત થયા હોવાનું આંકડા પરથી સાબિત થયું છે. એટલું જ નહીં, રાજ્યમાં કુલ ચાંદીપુરા વાયરસના 71 શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય ટીમ કામે લાગી છે. વાયરલ એન્કેફેલાઇટીસના સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં 8 શંકાસ્પદ કેસો નોંધાયા છે.
ગુજરાતમાં ફરી આફતના એંધાણ! આ વિસ્તારોને અપાયુ રેડ એલર્ટ, જાણો અંબાલાલની ડરામણી આગાહી
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસથી ઘણા બાળકોના મોત પણ થયા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતાં, હવે તે અન્ય રાજ્યમાં પણ ફેલાય રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 71 કેસ નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠા-૦૮, અરવલ્લી- ૦૪, મહીસાગર-૦૨, ખેડા-૦૫, મહેસાણા-૦૪, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૨, અમદાવાદ કોર્પોરેશન-૦૪, ગાંધીનગર-૦૫, પંચમહાલ-૧૧, જામનગર-૦૫, મોરબી-૦૪, ગાંધીનગર કોર્પોરેશન-૦૨, છોટાઉદેપુર- ૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૧, બનાસકાંઠા-૦૨, વડોદરા કોર્પોરેશન-૦૧, ભાવનગર-૦૧ દેવભૂમિ દ્વારકા-૦૧ રાજકોટ કોર્પોરેશન-૦૧ તેમજ કચ્છ-૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.
દૈનિક રાશિફળ 21 જુલાઈ: પરિવારનું વાતાવરણ સુખમય રહેશે, સમય આજે અનુકૂળ, આજનું રાશિફળ
આ તમામ પૈકી સાબરકાંઠા-૦૧, અરવલ્લી-૦૨, મહેસાણા-૦૨, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૧, મોરબી-૦૧, વડોદરા-૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ-૦૯ કેસ પોઝીટીવ મળેલ છે.
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૭૧ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૧, મહેસાણા- ૦૨, રાજકોટ-૦૨, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પોરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૪, મોરબી- ૦૩, ગાંધીનગર કોર્પોરેશન-૦૧, દાહોદ-૦૨, વડોદરા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧ એમ કુલ-૨૭ દર્દીઓ મૃત્યુ પામેલ છે.
Budget: પેન્શનમાં ફેરફારની તૈયારી, સરકારી કર્મચારીઓને મળી શકે છે સૌથી મોટી ભેટ
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના -૪૧ દર્દી દાખલ છે તથા-03 દર્દીઓને રાજા આપેલ છે. રાજસ્થાનના-૦૨ કેસો જેમાં-૦૧ દર્દી દાખલ છે તેમજ-૦૧ દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનો- -૦૧ કેસ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ ૧૭૨૪૮ ઘરોમાં કુલ ૧૨૧૮૨૬ વ્યક્તિઓનું સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. કુલ ૫૩૭૪ કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં ધરખમ વધારો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે