ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા ઉદાત હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી મુક્તિ મળશે.
સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં ૩૦૦થી વધારે નવા CNG સ્ટેશન બનાવવા માટે ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે. સીએમ વિજય રૂપાણીએ આ ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત પર્યાવરણ પ્રિય- પ્રદૂષણમુક્ત પરિવહન સેવાથી ‘સ્વચ્છ ગુજરાત – સ્વસ્થ ગુજરાત’ની સંકલ્પના સાકાર કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
આ CNG સ્ટેશનની સ્થાપના રાજ્યના વિવિધ શહેરો તેમજ ધોરીમાર્ગ પર કરવામાં આવશે એટલું જ નહિં, ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને આ ‘CNG સહભાગી યોજના’ અન્વયે CNG આધારિત હરિયાળી ક્રાંતિમાં સહભાગી થઈ મોટું વળતર મેળવવાની તક મળશે.
CNG સહભાગી યોજના અંતર્ગત રાજ્યમાં નવા ૩૦૦ CNG પંપ થશે શરૂ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે