Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટની 70 સોસાયટીમાં ફેલાયો કોરોના વાયરસ, 24 કલાકમાં કેસમાં તોતિંગ વધારો

Gujarat Corona Cases : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા... રાજ્યમાં કોરોનાના કુલ 822 એક્ટિવ કેસ... સંક્રમણથી બચવા સાવચેત રહેવાની આરોગ્ય વિભાગે કરી અપીલ

રાજકોટની 70 સોસાયટીમાં ફેલાયો કોરોના વાયરસ, 24 કલાકમાં કેસમાં તોતિંગ વધારો

Corona Cases In Gujarat : રાજકોટમાં કોરોનાએ હાફ સેન્ચ્યુરી વટાવી છે. છેલ્લા 24 કલાકમાં, કિશાનપરા, પ્રગતિ સોસાયટી, નેહરુનગર, સરકારી વસાહત ક્વાર્ટર, શક્તિ સોસાયટી, ભોમેશ્વર, હરીનગર અને એ.જી. સોસાયટી પાસેના વિસ્તારોમાં વધુ નવ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ સક્રિય કેસનો આંક 51 પર પહોંચ્યો છે. 

fallbacks

રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. 

  • ગુજરાતમાં 24 કલાકના અપડેટ 
  • કોરોનાના આજે 183 કેસ નોંધાયા 
  • રાજ્યમાં કુલ 822 એક્ટિવ કેસ 
  • 29 કેસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે 
  • 793 દર્દીઓ હોમ આઇસોલેસન 
  • 78 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની વિવિધ 70 સોસાયટીઓ સુધી કોરોના ફેલાયો છે. 20 દિવસમાં ૧૦૨ કેસ નોંધાયા છે. દર્દીઓમાં 50 યુવાનોનો પણ સમાવેશ થાય છે. રેસકોર્સ, રામકૃષ્ણ, રૈયારોડ સહિતના વિસ્તારોમાં કોરોનાના બે થી ચાર કેસ નોંધાયા છે. સૌથી વધુ વોર્ડ નંબર 8 માં 21 કોરોના દર્દીઓ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓ વધતા આરોગ્ય તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે.

તો બીજી તરફ, સુરત શહેરમાં કોવિડના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં 6 દર્દીના કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અડાજણના BOBના કર્મી, પાર્લેપોઈન્ટની મહિલા ફેશન ડિઝાઈનર કોરોના પોઝિટિવ આવ્યા. રૂસ્તમપુરાના યુવાન સોફ્ટવેર એન્જિનિયર કોવિડ પોઝિટિવ નોંધાયો. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ આંકડો 56 પર પહોંચો છે. તમામ દર્દીઓનું સેમ્પલ સરકારની ગાઈડલાઈન મુજબ જિનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલાયા છે. 

વડોદરા શહેરમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક આપી છે. કોરોનાના નવા 6 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ ર્ડો હિતેન્દ્દ ચૌહાણે જણાવ્યું કે, કોરોનામાં અગાઉ જે નિયમોનું પાલન કર્યું હતું તે નિયમો નું હવે ફરી પાલન કરવું. માસ્ક પહેરવું, સોશ્યિલ ડિસ્ટટ જાળવવું, ભીડભાળ વાળા સ્થળે જવાનું ટાળવું. આ વેરિઅન્ટ એટલો ખતરનાક નથી પરંતુ તકેદારી લેવી જરૂરી છે. એસએસજી હોસ્પિટલ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. હોસ્પિટલ પાસે ઓક્સિજન અને દવાઓ પૂરતી માત્રામાં છે અને સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More