ઉદય રંજન/અમદાવાદ: કુરિયરમાં એમડી ડ્રગ્સનો જથ્થો મોકલ્યો છે. CBIની તપાસમાં તમારું નામ ખુલ્યું છે. કહીને એક કરોડ 15 લાખની છેતરપીંડીના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ બે સાયબર ગઠિયાની ધરપકડ કરી છે.
ગુજરાતમાં ક્યારે આવશે અને કેવુ જશે ચોમાસું? અંબાલાલે કરી છાપરા ઉડાડે એવી ભયાનક આગાહી
પ્રદીપ માણિયા અને વીરેન આસોદરીયા નામના સાયબર ગઠિયાઓએ ગઈ 20/03/2024 ના રોજ ફરીયાદીને કોલ કરી પાસપોર્ટ, મોબાઇલ ફોન, MDMA ડ્રગ્સ સહિતની ગેરકાયદેસરની વસ્તુઓ ફરીયાદીએ મુંબઇ થી તાઇવાન ખાતે મોકલેલ હોવાનું ખોટી માહિતી આપીને Central bureau of investigation Indiaનું બનાવટી વોરંટ Skype દ્વારા મોકલી તથા ફરીયાદીને જીવનું જોખમ હોવાનું જણાવી ફરીયાદી ડીઝીટલ હાઉસ એરેસ્ટ કરીને ફરિયાદી પાસેથી રૂ.1.15 કરોડથી વધુની છેતરપીંડી આચરી હતી.
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, 20મી જૂને...
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચમાં આ ફરિયાદ નોંધાતા તપાસ શરુ કરી હતી. જેમાં પ્રદીપ માણિયા અને વીરેન આસોદરીયાના નામ સામે આવતા બંનેની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરુ કરી હતી. આ સમગ્ર કેસ માં અત્યાર સુધી માં ડીઝીટલ હાઉસ એરેસ્ટ મામલે વધુ બે ધરપકડ સાથે કુલ ધરપકડનો આંક 16 પર પહોંચ્યો છે. વીરેન આસોદરીયા અને પ્રદીપ માણિયાની ધરપકડ પહેલા ધરપકડ કરાયેલા મોહન લેઉઆની પૂછપરછ અને બેન્ક એકાઉન્ટ ડિટેલમાં અંકિત દેસાઈ અને કિરણ દેસાઈ નું કનેક્શન ખુલ્યું હતું.
ગુજરાતમાં આવશે ધૂળનું તોફાન! આ 4 જિલ્લામાં જોવા મળશે ભયાનક નજારો, તોફાન જોઈ ડરી જશો
અંકિત અને કિરણ ના કનેક્શન માં વીરેન તથા પ્રદીપનું કનેક્શન ખુલ્યું હતું. આરોપી વીરેન આસોદરીયાના 51 બેન્ક એકાઉન્ટની વિગતો તપાસમાં ખુલવા પામી છે. વીરેન આસોદરીયા બેન્ક એકાઉન્ટ પર ફ્રોડ સંદર્ભે ઓલ ઇન્ડિયા સાયબર ક્રાઇમ પોર્ટલ 610 ફરિયાદો નોંધાયેલી છે.
સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
વીરેન આસોદરીયા ના બીટકોઈન વોલેટ બીનાન્સ દ્વારા 9 ચાઈનીઝ સાથે ક્રિપટો કરન્સી થી લેવડ દેવડ કરી હોવાના પુરાવા સાયબર ક્રાઇમ સેલ ને મળ્યા છે ચાઈનીઝ એપ્લિકેશન કંપની અને 9 ચાઈનીઝ વ્યક્તિ ઓના એકાઉન્ટ સંદર્ભે વધુ વિગતો મેળવવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરુ કરી છે. સાયબર ક્રાઇમના નિષ્ણાતોની વાત કરવામાં આવે તો આ ડિજિટલ અરેસ્ટનું આખું કૌભાંડ ચાઈનાના લોકો દ્વારા કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ભારતના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે.
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકો હોમાયા બાદ ભાજપનો મોટો નિર્ણય; 'જીતની ઉજવણી નહીં કરે'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે