Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશમાં હવે ડીએનએના રિઝલ્ટ ધીરે ધીરે આવી રહ્યાં છે. જેના બાદ હવે મૃતદેહોને પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવશે. પરિવારજનોને મૃતદેહ આપવાનું શરૂ કરાયું છે. ત્યારે સરકાર દ્વારા ખાસ સુવિધા કરવામાં આવી છે.
પરિવાર દીઠ એક-એક પોલીસકર્મીને મદદ માટે
પૂર્ણિમાબેન પટેલ ખેડાના રહેવાસી હતા જેમનું પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. પૂર્ણિમાબેનનો પાર્થિવદેહ એમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. અન્ય મૃતદેહ પણ પરિજનોને આપવામાં આવી રહ્યાં છે. મૃતકોના પરિજનોને ગુજરાત પોલીસ તમામ મદદ કરશે. પરિવાર દીઠ એક-એક પોલીસકર્મીને મદદ માટે મૂકાયા છે. જરૂરી કામગીરી માટે મદદ મળી રહે તે માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મૃતકોના પરિજનોની રહેવા-જમવાની વ્યવસ્થા પણ સરકારે કરી છે.
વિદેશ નાગરિકોના મૃતદેહોને મોકલવાનો ખર્ચ સરકાર ભોગવશે
વિદેશી નાગરિકોના મૃતદેહોને મોકલવા સરકારે વ્યવસ્થા કરી આપી છે. એટલું જ નહિ, વિદેશી નાગરિકોના મૃતદેહો મોકલવાનો ખર્ચ સરકાર ઉઠાવશે. સ્થાનિકોના મૃતદેહોને વતન લઈ જવા સરકારે વ્યવસ્થા કરી આપી છે. શબવાહિની ઉપરાંત પરિવારજનોને કારની સુવિધા અપાશે. દરેક પરિવારની કારને પોલીસ પાઈલોટિંગ પૂરું પાડશે.
વડોદરાથી આવ્યા કોફિન
અમદાવાદ વિમાન ક્રેશ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના મૃતદેહો લઈ જવા વડોદરામાં કોફિન બની રહ્યાં છે. એર ઈન્ડિયા કંપનીએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલકના નેલ્વિન રજવાડી અને સંજીવ લોયલને આ કામ સોંપ્યું છે. આ વિશે સંજીવ લોયલે જણાવ્યું કે, રાત્રે 10 વાગે 120 કોફિન બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. આજે બપોરે 3 વાગ્યા સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 30 કોફિન મોકલવાના હતા. 2 કલાકમાં એક કોફિન બને છે. ઝડપથી કામ પતે તે માટે 15 થી વધુ કારીગરો કામે લાગ્યા હતા. ગઈકાલ રાતથી સતત કોફિન બનાવવાની કામગીરી ચાલી રહી છે. વડોદરાના ફતેગંજમાં આવેલ મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલમાં કોફિન બની રહ્યાં છે.
પ્લેન ક્રેશમાં એક ચમત્કાર આ પણ હતો! ચાલુ લંચમાં કપડા પર ડાઘ પડ્યો અને જીવ બચ્યો
DNA નો એક ટેસ્ટ પૂરો થવામાં અંદાજે 36 થી 48 કલાક લાગે છે
પીડિતો અને તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલિંગ અંગે FSLના ડિરેક્ટર એચ.પી. સાંઘવીએ મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, પ્લેન ક્રેશ બાદ ભારે જ્વાળાઓ ઉભી થઈ હતી. આટલી ઊંચા તાપમાનની આગમાં કોઈ વ્યક્તિની ઓળખ કરવી અશક્ય બની જાય છે, એટલે ડીએનએ પરીક્ષણ અનિવાર્ય બને છે. જો કે, આવી ભારે જ્વાળાઓ શરીરમાં રહેલા ડીએનએને પણ અસર કરે છે. પોસ્ટમોર્ટમ દરમિયાન યોગ્ય શરીરના ભાગની ઓળખ કરી ડીએનએ માટે નમૂનાઓ લેવાં જરૂરી હોય છે. મૃતકો તથા તેમના પરિવારજનોના તમામ ડીએનએ સેમ્પલ્સ એફએસએલમાં સબમિટ કરવામાં આવ્યા છે. આ એક જટિલ પ્રક્રિયા છે. એક ટેસ્ટ પૂરો થવામાં અંદાજે 36 થી 48 કલાક લાગે છે. ટેસ્ટ્સ બેચેસમાં કરવામાં આવી રહ્યાં છે અને ઘણી ટેસ્ટ્સ એકસાથે ચાલી રહી છે. પ્રોફાઇલ મેચિંગ શરૂ થઈ ગયું છે અને પરિણામો મળવા લાગ્યા છે. ડૉક્ટરો અને પોલીસ એજન્સીઓ મૃતદેહોને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયામાં છે. અમે આશા રાખીએ છીએ કે આ કામ ટૂંક સમયમાં પૂરું થશે. આ કાર્ય માટે ગુજરાત ફોરેન્સિક લેબોરેટરીની 36 વિશેષજ્ઞોની ટીમ કામ પર તૈનાત છે. અમે નેશનલ ફોરેન્સિક લેબ સાથે સહયોગમાં આ કામગીરી કરી રહ્યા છીએ.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 260થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સ્વજનોનું અકાળે અવસાન થતા તમામના પરિવારજનો ભારે શોકમગ્ન છે. તેઓ જલ્દીથી સ્વજનોના મૃતદેહો મળે તેવી માંગ કરી રહ્યાં છે. એક એક ક્ષણ તેમના કાળજા પર પત્થરના ઘાની જેમ વીતી રહી છે.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પરિવારજનોને સાંત્વના આપવાની સાથે, પોલીસ પોતે જ તેમને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી છે.
એશિયાના સૌથી ધનિક ગણાતા માધાપર ગામ પંચાયતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો
વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
એઆઇસીસીનુ પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે પહોંચ્યું છે. મલ્લિકાર્જુન ખડગે, ડી કે શિવકુમાર, પવન ખેરા, અને મુકુલ વાસનીક નાસીર હુસૈન સહિતના નેતાઓનું પ્રતિનિધિમંડળ પહોચ્યું. પ્લેન ક્રેશની ઘટનામાં ઘાયલ થયેલ નાગરિકોની મુલાકાત કરશે. ઘાયલોની મુલાકાત બાદ આઈજીપી કંપાઉન્ડની લઇ ઘટનાનો તાગ મેળવશે.
આમ આદમી પાર્ટી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી મારલેનાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોની મુલાકાત લીધી, જે પણ લોકો વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા એમના પરિવારની પણ મુલાકાત લીધી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે