Morbi News હિમાંશું ભટ્ટ/મોરબી : રાજ્યમાં રક્ષાબંધન પહેલા અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. મોરબી કચ્છ હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચેની ભયાનક ટક્કરમં બે વિદ્યાર્થી સહિત 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વિદ્યાર્થીઓ રક્ષાબંધન મનાવવા વતન પહોંચે તે પહેલા જ આગમાં ભડથુ થઈ ગયા હતા.
મોરબીમાં સુરજબારી પુલ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4ના કરૂણ મોત નિપજ્યા છે. કારમાં સવાર બે વિદ્યાર્થીઓ અને બે ટ્રક ડ્રાઈવરના મૃત્યુ થયા છે. કારમાં સવાર 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 7 વિદ્યાર્થીઓ જૂનાગઢમાં આહિર બોર્ડિંગમાં અભ્યાસ કરતાં હતાં, જેઓ સાતમ-આઠમના તહેવાર નિમિતે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીમાં સુરજબારી પુલ પર એક ટેન્કર પલટી જતાં પાછળ આવતું ટેન્કર લેન બદલવા જતું હતું, તે દરમિયાન પાછળ આવતી અર્ટીગા કાર ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત થયો. હાલ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ઓળખ કરવા માટેની તપાસ ચાલુ છે. મૃતકોના મૃતદેહને પંચનામું કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે.
માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું, જેમા ટ્રેલર અથડાયું હતું અને તેની સાઈડમાં અર્ટિકા ગાડી અથડાઇ હતી આ ત્રિપલ અકસ્માતના બનાવની અંદર વાહનોમાં આગ લાગતા અર્ટિકા ગાડીમાં બેઠેલા બે વિદ્યાર્થીઓ તેમજ ટ્રેલરના ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યક્તિઓ ભડથું થઈ ગયા હતા અને સાત વ્યક્તિઓને નાના મોટી ઈજા થઈ છે. આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત થયેલ વાહનોને રોડ સાઇડમાં ખસેડીને ટ્રાફીક ક્લિયર કરાવ્યો હતો.
ડ્રાઈવર ક્લીનર આગમાં ભડથુ થઈ ગયા
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના અરસામાં માળિયાના હરીપર ગામની ગોળાઈથી આગળના ભાગમાં સૂરજબારી પુલ પહેલા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ટ્રેલર અને અર્ટિકા કારમાં આગ લાગી જવાના કારણે કારમાં બેઠેલા લોકો પૈકી બે બાળક તેમજ ટ્રેલરના ડ્રાઇવર અને ક્લિનર નું આગમાં ભડથુ થઈ જવાના કારણે મોત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતકોના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જોકે અર્ટિકા કારમાં બેઠેલા સાત જેટલા વ્યક્તિઓને નાના મોટી ઈજા થયેલ હોવાના કારણે તે ઇજાગ્રસ્તોને સામખયારી ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
સ્થાનિકોએ જણાવ્યું કે, કન્ટેનર રોડમાં પલટી મારી ગયું હતું અને રોડ ઉપર પલટી મારી ગયેલા કન્ટેનરની પાછળના ભાગમાં ટ્રેલર અથડાતા અકસ્માત થયો હતો અને ત્યારબાદ તેની પાછળના ભાગમાં રહેલ અર્ટિકા ગાડી ટેન્કર સાથે અથડાતા ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં કારમાં જુનાગઢથી કચ્છના ગાંધીધામ બાજુ જઈ રહેલા વિદ્યાર્થી સહિત કુલ નવ લોકો બેઠેલા હતા. આ બનાવમા આગ લાગવાની ઘટનાના કારણે કારમાં બેઠેલા વિદ્યાર્થી પૈકી બે વિદ્યાર્થી તેમજ ટ્રેલરના ડ્રાઇવર અને ક્લીનરનું મોત નીપજ્યું છે.
મૃતકોના નામ
વેકેશન પડ્યુ હોવાથી વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હતા
આવતીકાલે રક્ષાબંધન છે અનો આગામી દિવસોમાં સાતમ આઠમના તહેવારનું વેકેશન પડ્યું હોવાથી જુનાગઢ ખાતે આહીર બોર્ડિંગ ખાતે રહીને અભ્યાસ કરતા કચ્છ બાજુના આહીર સમાજના આઠ વિદ્યાર્થીઓ અને એક ડ્રાઇવર આમ કુલ નવ વ્યક્તિઓ કારમાં ગાંધીધામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો છે. જેમાં બે વિદ્યાર્થી સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માતના આ બનાવના કારણે રોડની બંને બાજુએ ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે તેને જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ તથા નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને જે અકસ્માત થયેલા વાહનો હતા તેને રોડ સાઈડમાં કરીને લગભગ 11 વાગ્યાની આસપાસ મોરબી કચ્છ હાઇવે ને ટ્રાફિક માટે ક્લિયર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જે ટ્રેલર માં આગ લાગવાના કારણે ડ્રાઇવર અને ક્લીનરનું મોત નીપજ્યું છે તે ટ્રેલર મોરબીના સિરામીક કારખાનામાંથી ટાઇલ્સ ભરીને દહેરાદુન તરફ જઈ રહ્યું હતું.
ઓગસ્ટમાં ગાયબ થયેલો વરસાદ હવે આ દિવસથી ગુજરાતમાં ફરી એન્ટ્રી કરશે, પરેશ ગોસ્વામીની નવી આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે