Ahmedabad Plane Crash : જિંદગી ઔર ઉપરવાલે કે હાથ મેં હૈ બાબુમોશાઈ... કહેવાય છે ને કે મોતની તારીખને કોઈ ટાળી શકતું નથી. પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રીનું મોત થયું, સંજોગો એવા સર્જાયા કે તેમના ઘણા ટાળવા છતાં 12 જુને વિજય રૂપાણીનું મોત લખાયું છે. ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ બે-બે વખત ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવીને 12મી જૂનના રોજની ટિકિટ કરાવી હતી. એટલું જ નહિ, રૂપાણીની 12મી જૂનના રોજ ઓરિજિનલ ટિકિટ 11G સીટની હતી. પરંતું એરલાઈન્સે સીટ બદલીને બીજી આપી.
મોતને ટાળ્યું, પણ 12 તારીખે જ આવ્યું
વિજય રૂપાણીએ પોતાના પત્ની અને દીકરીને મળવા અગાઉ 19 મેના રોજ લંડન જવાના હતા અને 25 જુને પરત ફરવાના હતા. તેમના પ્લાનમાં ફેરફાર થતા તેમણે 19 મેની ટિકિટ રદ કરી અને 5 જૂને મુસાફરી કરવાનું નક્કી કર્યું. પરંતું પંજાબની પેટાચૂંટણીને કારણે તેમને આ પ્લાન પણ રદ કરવો પડ્યો હતો, અને 12 જુનની ટિકિટ બુક કરાવાઈ હતી.
લકી નંબર જ ભોગ લઈ ગયો
એક વિચિત્ર સંયોગ એ પણ છે કે, રૂપાણી માટે ૧૨૦૬ નંબર હંમેશા લકી સાબિત થયો હતો. આ નંબર હંમેશા તેમની સાથે જોડાયેલો રહેતો. પરંતું આ જ તારીખે તેમનું મોત થયું. તેથી આ નંબર હવે તેમની મોતની તારીખ સાથે પણ જોડાઈ ગયો છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતા જ આવી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલે આપી તારીખ
હજુ સુધી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા નથી
12 જૂને અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની. જેના શિકાર થયેલા હતભાગીઓમાંથી એક નામ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું. સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી. 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં તેઓ પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું. વિજય રૂપાણીના નિધનની ખબર સાંભળતા જ તેમનો પરિવાર વતન પહોંચી ગયો હતો. પ્રધાનમંત્રી મોદીએ અંજલિબેન સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પણ પાઠવી હતી. વિજય રૂપાણીના DNA મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. DNA મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થવાના છે. જ્યાં તેમની અંતિમ વિધિની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિક આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. હાલ મૃતકોના DNA તેમના સંબંધીઓ સાથે મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ દુઃખદ ઘટના સમયે પણ કેટલાક લેભાગુ તત્વો છેતરપિંડી કરી રહ્યા છે. મૃતકના પરિવારજનોને ફોન કરી સરકારમાંથી બોલતા હોવાનું લેભાગુ તત્વો કહે છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો તેમના પરિવારજનના અવશેષો ઓળખાય અને તેમના મૃતદેહ મળે તેની રાહત જોઈ રહ્યા છે, ત્યારે આવા લેભાગુ તત્વો પરિવારજનોને ફોન કરીને પૈસા પડાવે છે. ત્યારે સિવિલ હૉસ્પિટલ તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, નિયત કરેલા નંબર સિવાય કોઈપણ નંબર પરથી ફોન આવે તો તેની જાળમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે. મૃતદેહ સોંપવા માટે કોઈ પણ પ્રકારના નાણાં તંત્ર લેતું નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.
આજે ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલમાં સીધો 80 રૂપિયાનો વધારો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે