Kheda News: ખેડા જિલ્લાના નડિયાદ એપીએમસીની પીપલગ ચોકડી પાસે આવેલ સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીનું વેચાણ કરવા આવતા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ તેમજ ડિરેક્ટરો દ્વારા ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાખી કરવામાં આવ્યો છે.
શું પાકની પાસે જ છે દુનિયાની સૌથી લાંબી મારક ક્ષમતાવાળી મિસાઈલ? અમેરિકાએ આપી માહિતી
અગાઉ ખેડૂતોને ઉત્પાદન માંથી એક કિલો પ્રતિ બારદન કપાત કરવામાં આવતી હતી. જેથી ખેડૂતોને આર્થિક નુકસાનનું કારણ હતું. આ કપાત બંધ કરવાથી ખેડૂતોને તેમની પેદાશનો સંપૂર્ણ ભાવ હવે મળી રહેશે. જેથી તેમની આવકમાં સીધો વધારો થનાર છે.
પુત્રના જન્મની માઈભક્તે રાખી હતી અંબાજીમાં બાધા, જન્મ થતાં માતાજીને ચાંદીનું સ્ટેન્ડ
આ નિર્ણયને લઇ ખેડૂતો દ્વારા એપીએમસીના ચેરમેનનું ફુલહારથી સ્વાગત કરી સમગ્ર ટીમને ખેડૂતલક્ષી નિર્ણય કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
પહેલગામ હુમલા પર મોટો ખુલાસો, જાણો આતંકીઓએ કઈ રીતે આપ્યો ઘટનાને અંજામ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે