ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોનાના કેસની સ્થિતિ બગડતી જઈ રહી છે. જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો ફરી શરૂ થતા કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યાં હતા. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં મંત્રી કુમાર કાનાની, સાંસદ સીઆર પાટીલ અને મેયર જગદીશ પટેલ પણ મીટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા.
હીરા અગ્રણીઓ મીટિંગમાં કોરોના મહામારી વચ્ચે કઈ રીતે ઉદ્યોગ ચાલુ રાખી શકાય તે અંગે વાતચીત કરી હતી. 7 દિવસ આવતીકાલે પૂર્ણ થાય છે. તેઓએ જણાવ્યું કે, અધિકારી સાથે 1 વાગ્યે મીટીંગ કરી નિર્ણય થશે. હીરા ઉદ્યોગ નવી ગાઈડલાઇન સાથે શરૂ થશે. આ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે