Diwali 2023 પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણ (Patan) એક ઐતિહાસિક ધરોહરથી ઓળખાતું શહેર છે. જ્યાંની રાણીની વાવ, પાટણના પટોળા વિશે આપણે જાણી છીએ. પણ મીઠાઈમાં પણ પાટણ આગવું સ્થાન ધરાવે છે. પાટણના દેવડા વગર તમામ તહેવારો અધૂરા લાગે. આ મીઠાઈનું મૂળ પાટણમાં છે. દિવાળી (Diwali) નો તહેવારો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અન્ય માવાની મીઠાઈની ખરીદી પહેલા દેવડાની માંગ પ્રથમ હરોળમાં રહે છે. શહેરમાં દેવડા મીઠાઈની માંગને પહોંચી વળવા સ્વીટની દુકાનોમાં દેવડા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે દેવડાની શુ છે ખાસ વિશેષતા તે જોઈએ.
દિવાળી (Diwali 2021) આવતા જ પાટણવાસીઓમાં પોતાના સ્નેહીજનોને મીઠાઈ (sweets) માં દેવડા મોકલાવી પ્રથા છે. ગુજરાત તેમજ દેશવિદેશમાં રહેતા પાટણવાસીઓ આજે પણ પોતાના વતનમાંથી દેવડા મંગાવવાનું ભૂલતા નથી. કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ન આવે ત્યાં સુધી દિવાળી આવી જ નથી તેવું પાટણવાસીઓ માને છે.
જીવનમાં સુખ સાહ્યબી ઇચ્છતા હો તો કાળી ચૌદસે આ રીતે કરો વિશેષ પૂજા : સાધનાનું ફળ અચૂક મળશે
કેવી રીતે બનાવવામાં આવે છે દેવડા
અચાનક આવી પડશે વરસાદ, ગુજરાતના આ શહેરો માટે આગાહી આવી ગઈ
દેવડા બનાવવામાં પાટણના પાણીનો મોટો રોલ
વર્ષોથી દેવડા (devda sweet) બનાવવામાં માહેર થયેલા કારીગર જયંતીભાઈ જણાવે છે કે, પાટણના દેવડા એક સારી મીઠાઈ છે, જે 160 વર્ષ પહેલાં તેને બનાવવાની શરૂઆત થઈ હતી. આજે પણ પાટણના દેવડાનું આગવું સ્થાન છે. દરેક તહેવારમાં અન્ય મીઠાઈ પહેલા દેવડાની પ્રથમ ખરીદી કરવામાં આવે છે. દેવડા વગર દિવાળીનો પર્વ અધુરો લાગે છે. ખાસ તો વાત એ છે કે, દેવડાની બનાવટમાં પાટણ નું પાણી અને હવામાન ખૂબ જ અનુકૂળ આવે છે. જેથી તે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બને છે.
દેવડામાં પણ વિવિધ વેરાયટી
દેવડાના વેપારી દિલીપ સુખડીયાએ જણાવ્યું કે, અત્યારે પાટણની બજારોમાં દેવડામાં વિવિધ ફ્લેવર તેમજ વિવિધ બ્રાન્ડ જોવા મળી રહી છે. જેમાં શુદ્ધ ઘીના દેવડા, સ્પેશિયલ બટર સ્કોચ દેવડા, સ્પેશ્યલ કેટબરી દેવડા તેમજ સ્પેશિયલ કેસર દેવડા જેવી અવનવી વેરાયટી પાટણના બજારોમાં જોવા મળી રહી છે. બજારમાં ભલે ગમે તેટલી વેરાયટીની મીઠાઈ આવે, પણ પાટણની ઓળખ સમા દેવડાનું આગવું સ્થાન છે. પાટણવાસીઓ દેવડા ખરીદવાનું આજે પણ ભૂલ્યા નથી અને દિવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનો રિવાજ આજે પણ અકબંધ છે. વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભૂલાઈ નથી. તે જ પાટણના દેવડાની સાચી ઓળખ છે.
દિવાળીને લઈને પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર : પાંચમ સુધી આ સમય રહેશે
દેવડા વગર અમારી દિવાળી અધૂરી - પાટણવાસી
પાટણના લોકોના જણાવ્યા અનુસાર, અમે દર વર્ષે દેવડા ખરીદીએ છીએ. પાટણના દેવડા લોકો ખૂબ વખાણાય છે. જ્યાં જોઈએ ત્યાં દેવડા જ દેખાય છે. પાટણની પ્રજા દિવાળીમાં દેવડાની ખરીદી ખાસ કરે છે અને પાટણના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે. જ્યાં સુધી અમે દિવાળીમાં દેવડા ખરીદીએ નહિ ત્યાં સુધી અમારો તહેવાર અધૂરો લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે