Illegal immigrants In America : કેટલાક ગુજરાતીઓ માટે અમેરિકા જવાનું ખ્વાબ હોય છે. અમેરિકા જવું તેમના માટે એટલું જરૂરી હોય છે કે, સીધી રીતે ન મળે તો ગેરકાયદેસર પહોંચી જાય છે. મેક્સિકોની બોર્ડરથી છુપી રીતે અમેરિકામાં પ્રવેશવા માટે તેઓ કરોડો રૂપિયા ખર્ચી દેતા હોય છે. ત્યારે હવે ગેરકાયદેસર બોર્ડર ઓળંગીને અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ માટે મોટી ખબર સામે આવી છે. અમેરિકા સરકાર મોટું પગલું લેવા જઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસી જનારા ગુજરાતીઓમાંથી માત્ર 13 ટકાને જ આશ્રય આપવામાં આવશે. અમેરિકન સરકારે 41330 ઘૂસણખોરોની અરજીઓમાંથી માત્ર 5340 માઈગ્રન્ટ્સને જ રહેવાની મંજૂરી આપી છે. અન્ય 35990 માઈગ્રન્ટ્સને ભારત પાછા ફરવું પડશે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસનારા41330 ગુજરાતીમાંથી 5340 નાગરીકોને અમેરિકી સરકારે 'અસાઈલમ એક્ટ' અંતર્ગત આશ્રય માટેની માન્યતા આપી છે. બાકીના નાગરિકોને પાછા રવાના કરશે. ૨૦૨૪માં ૬૭૩૯૧ ભારતીય નાગરીકોએ ગેરકાયદેસર રીતે અમેરિકાની સરહદમાં ઘૂસણખોરી કરી હતી. જેમની અરજીઓ પરના નિર્ણય હજુ પેન્ડિંગ છે જે થોડા મહિના પછી જાહેર થશે.
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યાં છે. H-1B લાભાર્થીઓ અને ઇચ્છુકો ઉત્સુકતાપૂર્વક તેમની સ્થિતિ અંગે સ્પષ્ટતાની રાહ જોતા હોવા છતાં, ભારતમાંથી અંદાજિત 725,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટેનો ખતરો વધુ નજીક આવી રહ્યો છે. ટ્રમ્પે વચન આપ્યું છે કે, તેઓ તેમના પ્રમુખપદના પ્રથમ દિવસે તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને સામૂહિક દેશનિકાલ કરશે, આવું અમેરિકામાં પહેલાં ક્યારેય થયું નથી. યુ.એસ.માં અંદાજે 11 મિલિયન ગેરકાયદેસર વસાહતીઓ છે, જેમાંથી એકલા મેક્સિકોના લોકો લગભગ 50 ટકા છે. જેમાં અનેક ભારતીયો પણ સામેલ છે. 2017 અને 2021 વચ્ચેના તેમના પ્રથમ કાર્યકાળમાં, ટ્રમ્પે વાર્ષિક સરેરાશ 200,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલની ખાતરી આપી હતી.
તેમના બીજા કાર્યકાળમાં, ટ્રમ્પના નીતિ-નિર્માતાઓ એકલા પ્રથમ વર્ષમાં તેને 10 લાખ સુધી અને પછીથી પણ વધુ આંકડા સુધી વધારવાનો ટાર્ગેટ ધરાવે છે. તેમાં ભારતીયોની નોંધપાત્ર સંખ્યા હોવાની શક્યતા છે. યુએસ હોમલેન્ડ સિક્યુરિટી ડેટા દર્શાવે છે કે ઓક્ટોબર 2023 થી સપ્ટેમ્બર 2024 વચ્ચે 90,415 ભારતીયો યોગ્ય દસ્તાવેજો વિના યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. તેઓ મોટે ભાગે ગુજરાત, પંજાબ, હરિયાણા અને કેટલાક ઉત્તર પ્રદેશના હતા. જો કે, તે જોવાનું છે કે અમેરિકાનું નવું વહીવટીતંત્ર તેમને કેટલી ઝડપથી દેશનિકાલ કરે છે કારણ કે તેમને પાછા મોકલતા પહેલા લાંબી કાયદાકીય પ્રક્રિયા ફોલો કરવાની રહે છે.
ગયા વર્ષે, બાઈડન સરકારે ચાર્ટર ફ્લાઇટ્સનો ઉપયોગ કરીને 1,500 ભારતીયોને દેશનિકાલ કર્યા હતા. અમેરિકન સરકાર ફ્લાઇટનો ખર્ચ ઉઠાવે છે અથવા જેમણે આ ઇમિગ્રન્ટ્સને સ્પોન્સર કર્યા હતા તેઓને પૈસા ઉઘરાવે છે. તાત્કાલિક દેશનિકાલનો સામનો કરી રહેલા 17,940 ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે જેમણે તેમના કાનૂની આશ્રયને સમાપ્ત કર્યો છે.
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે