હિતલ પારેખ/ગાંધીનગર :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Polls) ને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી અયોગે કોવિડ ગાઈડલાઈન (corona guideline) જાહેર કરી છે. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગરપાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂંક થશે. જેમાં ચૂંટણીમાં પ્રચાર (election campaign) ને લઈને વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ચૂંટણીમાં ડોર ટુ ડોર પ્રચાર (door to door campaign) માટે પાંચ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયા છે. જો કોઈ કોવિડથી સંક્રમિત ઉમેદવાર હોય તો તેણે ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. મેળાવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપાઈ છે. પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ (social distance), માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મૂકવા સૂચન કરાયું છે.
ફેબ્રુઆરીમાં 6 મહાનગરપાલિકા, 6 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી (Gujarat Local Body Polls) યોજાનાર છે. ત્યારે કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો અને ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પર કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat માં બાળકો સુધી પહોંચ્યો ક્રાઈમ, 13 વર્ષના બાળકે તેના મિત્રની કરી હત્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે