Home> Gujarat
Advertisement
Prev
Next

હવે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ મળશે! મુંબઈ-ગુજરાતનાં 12 સ્ટેશનનો સમાવેશ

Railway Ticket New Rules: ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક નવો નિયમ અમલમાં આવનાર છે. હવે સ્ટેશન પર રાહ જોવી શક્ય નહીં બને. અમે એન્ટ્રી નિયમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં હવે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી છે. અને આ નિયમ દેશના 60 મુખ્ય રેલવે સ્ટેશનો પર લાગુ થશે. તમને જણાવી દઈએ કે, આ નવો નિયમ રેલવે સ્ટેશન પર આવતી ભીડને નિયંત્રિત કરવામાં મદદ કરશે. 

હવે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ મળશે! મુંબઈ-ગુજરાતનાં 12 સ્ટેશનનો સમાવેશ

Railway Ticket New Rules: હાલ સંખ્યાબંધ રેલવે સ્ટેશનોએ ભાગદોડના બનાવો બને ત્યારે રેલવે કેટલાક દિવસો માટે મોટાં સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટસનું વેચાણ અટકાવી દે છે. જોકે, ભવિષ્યમાં મોટાં સ્ટેશનો પર કન્ફર્મ ટિકિટ હોય તેમને જ સ્ટેશનમાં એન્ટ્રીની સિસ્ટમ આવી ગયા બાદ આવા કામચલાઉ પ્રતિબંધો લાદવાની જરુર પણ નહિ રહે. 

fallbacks

દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂર આવશે! 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 15થી 20 ઈંચ વરસાદ પડશે

કન્ફર્મ ટિકિટ વિના મુંબઈ-ગુજરાતનાં 12 સ્ટેશનોએ પ્રવેશની મનાઈ ફરમાવાશે. જી હા...રેલવે સ્ટેશનોએ હાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી દાખલ થઈ શકે છે તેને બદલે હવે મહત્વનાં રેલવે સ્ટેશનો પર પણ મેટ્રો પરપણ જેવી એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે. મતલબ કે પ્રવાસીની ટિકિટ સ્કેન થયા બાદ જ તેને રેલવે સ્ટેશનમાં એન્ટ્રી મળશે. આવી સિસ્ટમ લાગુ કરવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ છે. 

સરકારે જાહેર કર્યો સિંહની વસ્તી ગણતરીનો આંકડો, જાણો નર, માદા, પાઠડા, બચ્ચાની સંખ્યા

યાદીમાં ગુજરાતનાં અમદાવાદનાં કાલુપુર સ્ટેશન ઉપરાંત અસારવા તથા સાબરમતી સ્ટેશનો તેમજ વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતનાં સ્ટેશનો પણ આ યાદીમાં સામેલ છે. ઉધના જેવાં સ્ટેશનોએ અગાઉ ભારે ભીડના કારણે ભાગદડના બનાવો બન્યા હોવાથી ત્યાં પણ કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ એન્ટ્રીનું વિચારાયું છે. 

ગુજરાતના 16 તાલુકામાં ધોધમાર વરસાદ; વિસાવદરમાં અઢી ઈંચ તો કોટડાસાંગણીમાં પોણા 2 ઈંચ

આ સિવાય યાદીમાં સામેલ મુંબઈનાં સ્ટેશનોમાં બોરીવલી, અંધેરી અને બાંદરા ટર્મિનસનો 1 સમાવેશ થાય છે. આમાંથી બોરીવલી અને બાંદરા ટર્મિનસથી ગુજરાત આવતી 1 જતી ટ્રેનો થોભે છે. બીજી તરફ અંધેરી મુંબઈનું વેસ્ટર્ન લાઈનનું લોકલ ટ્રેનોનું 1 મહત્વનું મથક છે. અહીંથી જ મેટ્રો સેવાઓ સાથે ઈન્ટરચેન્જ પણ સામેલ છે. મધ્યપ્રદેશનાં ઉજ્જૈન સ્ટેશને પણ આ સિસ્ટમ લાગુ પાડવા સૂચવાયું છે. હાલ રેલવે દ્વારા દેશભરનાં અનેક સ્ટેશનોનાં રિડમોડેલિંગ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. રેલવે સ્ટેશનો પર હાલ કોઈપણ વ્યક્તિ સરળતાથી પહોંચી શકે તેવી પ્રથા નાબૂદ કરી એક્સેસ કન્ટ્રોલનો નિર્ણય લેવાયો છે. 

મોટા ફેરફાર; અવંતિકા સિંહ બન્યા CM ભૂપેન્દ્ર પટેલના અધિક અગ્ર સચિવ; જાણો કોણ છે IAS?

એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ બાબત હજી પ્રારંભિક તબક્કે છે. ફક્ત નામોની યાદી રેલવે બોર્ડને મોકલાઈ છે. જો તેને મંજૂરી મળી તો સંબંધિત સ્ટેશનોએ ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતા કેટલાક ફેરફાર થશે. આ સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટસ સુનિશ્ચિત કરી ત્યાં સ્કેનર્સ બેસાડવામાં આવશે. પ્રવાસીઓ પોતાની ટિકિટ સ્કેન કરાવ્યા બાદ જ સ્ટેશનની અંદર પ્રવેશી શકશે. તેના કારણે પ્લેટફોર્મ પરની ભીડ નિવારી શકાશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનોએ સલામતી અને ચોખ્ખાઈની જાળવણીમાં પણ મદદ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More