Ahmedabad Plane Crash : આખું ગુજરાત આજે સ્તબ્ધ છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં 290 ના મોતની આશંકા છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વધુ ગરમી હોવાથી કોઈને બચાવી શક્યા નહીં, આ અકસ્માત છે તેને કોઈ રોકી શકે નહીં. આ દુર્ઘટનામાં ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુમાવ્યા છે. પરંતું સમાચાર મળ્યા છે કે, હોનારતમાં વિજય રૂપાણીનું આખું શરીર બળીને ખાખ થયું છે. તેથી હવે DNA ટેસ્ટથી જ તેમની ઓળખ થશે.
રૂપાણીનું શરીર બળીને ખાખ થયું
પ્લેન ક્રેશની ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ પણ ન થઈ શકે તેમ નથી. હવે DNA સેમ્પલ ના આધારે જ વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થશે. આ માટે વિજય રૂપાણીના બહેને DNA સેમ્પલ આપ્યું છે. જેના આધારે તેમના મૃતદેહની ઓળખ થશે.
બહેને DNA માટે સેમ્પલ આપ્યું
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શરીર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હોવાથી તેમના મૃતદેહની ઓળખ DNA સેમ્પલથી થશે. ખૂબ જ આઘાતજનક સમાચાર છે. હાલ રૂપાણીના શરીરની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે. DNA ટેસ્ટથી જ તેમના મૃતદેહની ઓળખ થશે. રૂપાણીનાં બહેને DNA સેમ્પલ આપ્યું જેના આધારે તેમની ઓળખ થશે.
વિજય રૂપાણીના પરિવારનો કોઈ સભ્ય અત્યારે ગુજરાતમાં નથી. તેમની દીકરી રાધિકા અને પત્ની અંજલી રૂપાણી લંડનમાં છે તો તેમનો પુત્ર ઋષભ અમેરિકામાં છે. પત્ની અને પુત્રી આવતી કાલે અમદાવાદ પહોંચશે. તો પુત્ર 14 જૂને અમેરિકાથી આવશે. એ પહેલાં વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ જાય તે માટે તેમનાં બહેને DNA સેમ્પલ આપ્યું છે.
પંજાબની પેટાચૂંટણીને કારણે 3 જુનની ટિકિટ કેન્સલ કરી હતી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અગાઉ 3 જૂનના રોજ લંડન જવાના હતા. વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેન રૂપાણીની લંડન માટેની ટિકિટ 3 જૂનની બુક થઈ હતી. પરંતુ પંજાબના લુધિયાણાની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતા વિજય રૂપાણીએ પોતાની 3 જૂનની ટિકિટ કેન્સલ કરાવી હતી. આ કારણથી માત્ર તેમના પત્ની અંજલીબેન રૂપાણી જ 3 જૂને લંડન જવા માટે રવાના થયા.
વિજય રૂપાણી પંજાબના પ્રભારી હતા, જેથી પેટાચૂંટણીના કારણે તેમને પોતાનો પ્રવાસ રદ કર્યો હતો. વિજય રૂપાણી એક દિવસ પહેલા જ પંજાબથી ગુજરાત આવ્યા હતા અને આજે લંડન જવા માટે નીકળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે