Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ પોલીસ પર અકસ્માત કેસ મામલે લાગ્યા ગંભીર આરોપ લાગ્યા ચે. કેસમાં નબીરાઓને બચાવવાનો પ્રયાસ થયાનો આરોપ છે. 21 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતનો મામલો છેક ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. આ અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવર બદલવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે.
અકસ્માત સર્જનાર ડ્રાઈવરની થઈ અદલાબદલી
એ દિવસે GJ 03 NB 6411 નંબરની કારથી અકસ્માત સર્જાયો હતો. જેમાં 18 વર્ષના પરાગ નામના યુવાનને ઈજા થઈ હતી. અકસ્માત બાદ ડ્રાઈવર અને પેસેન્જર સીટમાં સવાર લોકો જગ્યાની અદલાબદલી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપ્યાનો દાવો છે અને ત્યારબાદ ફરિયાદીએ ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને અરજી કરી છે. આ અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાયદા વિભાગના HOD રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું કારસ્તાન હોવાનો આરોપ થયો છે. સૌથી મોટી વાત એ છે કે, હવે ખુદ રાજકોટ પોલીસે સ્વીકાર્યું છે કે, અકસ્માત પ્રકરણમાં જે આરોપી રજૂ કરવામાં આવ્યો હતો હતો તે ખોટો છે. એક સગીર કાર ચલાવતો હતો તેની ઓળખ થઈ ગઈ છે. હવે ફરિયાદમાં "ફાઇનલ ભરી "આરોપી બદલવામાં આવશે અને સગીર યુવક પર આરોપી તરીકે કાર્યવાહી કરાશે.
આજથી ST બસના ભાડામાં વધારો, જાણો કયા કયા રુટનું બસનું ભાડું કેટલું થયું
અમને ન્યાય આપો - યુવકનો પરિવાર
રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત સર્જ્યા બાદ અસરગ્રસ્ત યુવકનું બ્રેઇનડેડ હાલમાં થયું છે. તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો છે. પરાગ ગોહેલ નામના યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવકના માતા નયનાબેન ગોહિલ અને માસી પારુલબેન ચાવડાએ રડતા રડતા કહ્યું અમને ન્યાય મળવો જોઈએ. પરિવારજનોએ કહ્યું,અમારા દીકરાનો અકસ્માત થયો, બીજા કોઈ સાથે આવું ન બને. પોલીસને રજૂઆત કરી તો પોલીસે કહ્યું, તમને ખબર ન પડે. પરિવારજનો એક જ માંગ છે, બસ અમને ન્યાય જોઈએ. ફૂટેજ પણ અમારા દ્વારા પોલીસને આપવામાં આવ્યા. અમારો દીકરો રોડ પર તરફડ્યા મારતો પડ્યો હતો, અકસ્માત કરીને તેને હોસ્પિટલે પણ લઈ જવામાં ન આવ્યો.
પોલીસે સેટિંગ કરીને અકસ્માતનો આરોપી બદલ્યો!, રાજકોટના કેસમાં પોલીસની રાવ ગૃહ વિભાગ સુધી પહોંચી#Gujarat #Viral #ViralVideo #Trending #TrendingNow #GujaratPolice pic.twitter.com/Q9ZBHUQBWh
— Zee 24 Kalak (@Zee24Kalak) March 29, 2025
ડ્રાઈવર બદલવાના સીસીટીવી પણ ફરિયાદીએ પોલીસને આપ્યા
અકસ્માત કેસમાં રાજકોટ પોલીસે સ્વીકાર્યું અકસ્માત પ્રકરણમાં રજૂ થયેલ આરોપી ડ્રાઇવર ખોટો છે. સગીર યુવક કાર ચલાવતો હતો જેની ઓળખ થઈ ચૂકી છે. ફરિયાદમાં "ફાઇનલ ભરી "આરોપી બદલવામાં આવશે અને સગીર યુવક પર આરોપી તરીકે કાર્યવાહી કરાશે. અકસ્માત બાદ ડ્રાઇવર બદલી જવાના સીસીટીવી ફરિયાદીએ પોલીસને આપ્યા હતા અને ગૃહમંત્રીને લેખિતમાં રજુઆત પણ કરી હતી. ડ્રાઇવર બદલતા સીસીટીવી સામે આવ્યા હતા.
અકસ્માત સર્જનાર યુવકની ઓળખ થઈ
નબીરાઓની ઓળખ થઈ ચૂકી છે અને પોલીસની પોલ પણ છતી થઈ છે. અકસ્માત સર્જનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. ગાડી ભાભા હોટેલના માલિકની છે. તેની સાથે જ ગાડીમાં હ્યુમન રાઈટ્સ વિભાગના વડાનો પુત્ર પણ હતો.
ગુજરાતના આંગણે આજથી મહાકુંભ જેવો ઉત્સવ, નર્મદા પરિક્રમા જતા પહેલા આ જરૂર જાણી લો
પોલીસે નબીરાઓને બચાવવાનો ખેલ કર્યો, ગૃહ વિભાગ સુધી પહોંચ્યો મામલો
રાજકોટ પોલીસ દ્વારા અકસ્માત કેસમાં નબીરાઓને બચાવવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 21 માર્ચના રોજ ન્યારી ડેમ રોડ પર થયેલ અકસ્માતનો મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. GJ 03 NB 6411 નંબર ની વ્હાઇટ કલરની ટાટા નેક્ષોન કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં 18 વર્ષીય પરાગ ગોહેલ નામનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જનાર નબીરાઓ ત્યાંથી ચાલ્યા ગયા અને બાદમાં પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઇવર બદલ્યાનો પોલીસ પર આરોપ લાગ્યો છે. સમગ્ર ઘટનામાં ડ્રાઇવર બદલતા હોઈ તેવા સીસીટીવી સામે આવ્યા છે. તાલુકા પોલીસે યોગ્ય જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે.
8 દિવસ સુધી ફૂટપાથ પર બેસી રહી મા, રાજકોટમાં પુત્રના અકસ્માત બાદ ન્યાય માટે ઝંખી રહી છે લાચાર જનેતા#Gujarat #Viral #ViralVideo #Trending #TrendingNow #GujaratPolice pic.twitter.com/pCm2iFqFIL
— Zee 24 Kalak (@Zee24Kalak) March 29, 2025
ફરિયાદીએ પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને કરેલ અરજીમાં સનસનીખેજ આક્ષેપ કર્યાં છે. અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના હ્યુમન્ રાઇટ્સ વિભાગના HOD રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવાનું કારસ્તાનનો આક્ષેપ થયો છે. અકસ્માત કેસમાં પ્રવિણસિંહ બચુભા જાડેજાને ખોટી રીતે ડ્રાઇવર બનાવી નબીરાઓને બચાવવાનો પોલીસનો એક્શન પ્લાન કર્યાનો આક્ષેપ છે.
તો બીજી તરફ, નબીરા દ્વારા અકસ્માત કરવાના કેસમાં રાજુભાઇ દવેના પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનું સીસીટીવીમાં દેખાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા રાજુભાઇ દવેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટનામાં મારા પુત્રનું નામ આવ્યું છે. મારો પુત્રનો આ અકસ્માત સમયે ક્યાંય રોલ નથી. મેં ઈજાગ્રસ્તના પરિવાર સાથે વાત કરી છે. પોલીસ કાર્યવાહી ચાલુ છે હું સ્ટેટમેન્ટ ન આપી શકું. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મારો પુત્ર ક્યાંય છે જ નહીં, કારમાં પણ મારો પુત્ર નહોતો.
મારા પુત્રને પણ ભાભા ગેસ્ટ હાઉસના માલીકના પુત્ર સાથે પણ સબંધ નથી. મારો કે મારા ભાઈ જશ્મિનના પુત્રનો પણ કોઈ રોલ નથી. મારા ભાઈ પોલીસ સ્ટેશને જઈ આવ્યા છે અને પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મારા ભાઈ જશ્મિનભાઈ દવેનો પુત્ર છે તે અંગે પોલીસ તપાસ કરે છે. પોલીસ કાર્યવાહી કરે છે તપાસ ચાલુ છે.
વડનગરનું કંકાલ બોલ્યું, યોગમુદ્રામાં મળેલા કંકાલના DNA ટેસ્ટમાં થયો મોટો ખુલાસો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે