Home> Gujarat
Advertisement
Prev
Next

મન મૂકીને વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી. 

મન મૂકીને વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી. 

fallbacks

fallbacks

ગીર સોમનાથના વેરાવળમાં ધરતીપુત્રોએ વાવણીનો શુભારંભ કર્યો છે. આમ, વર્ષો બાદ ભીમ અગિયારસના દિવસે વાવણીના મુહુર્ત સચવાયા છે. વાયુ વાવાઝોડાએ ધરતીપુત્રોને જળ પ્રસાદ આપીને તેમનુ મુહૂર્ત સાચવ્યું છે. વેરાવળ, તાલાલા, સુત્રાપાડામાં બે દિવસ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વાવણી લાયક વરસાદથી જગતના તાત ખુશખુશાલ જોવા મળ્યા છે. પરંપરા મુજબ વાવણી કરતા પહેલા બળદોને શણગાર કરવામાં આવી છે. આ સાથે ધરતી માતાનું પૂજન પણ કરવામાં આવે છે. આમ, પૂજા કરીને વાવણીનો શુભારંભ કરવામાં આવે છે. આમ, આજે અનેક ખેડૂતોએ પૂજા કરીને વાવણીની શરૂઆત કરી હતી. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે. 

fallbacks

લલિત વસોયાએ પણ વાવણી કરી
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ આજે વાવણી કરીને ખેતીના શ્રી ગણેશ કર્યા છે. લલિત વસોયાએ વાવણી કરીને શુકન સાચવ્યું હતું. વસોયાએ પોતાના ખેતરમાં જાતે બળદ હાંકીને વાવણી કરી હતી. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પંચમહાલમાં મોરવા હડફના ખાનપુર ખાતેથી રાજ્ય કક્ષાના 15માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. તેમણે ખેતી, પશુપાલનમાં અવનવી શોધો માટેના એક્ઝિબિશન નિહાળ્યા હતા. કૃષિ મંત્રી જયદ્રથ સિંહ પરમાર, સાંસદ રતનસિંહ, અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More