ઝી બ્યુરો/સાબરકાંઠા: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રક્ષાબંધનનો તહેવાર ગોઝારો થતો રહી ગયો હતો. સાબરકાંઠામાં આજે અકસ્માતની એક ઘટના સામે આવી હતી. જેમાં ખેડબ્રહ્માના બાવળકાઠીયા પાસે જીપ ડાલું પલટી જતા 25 થી 30 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટેમ્પોમાં લગભગ 30 જેટલા લોકો સવાર હતા. આ દરમિયાન કોઈ કારણોસર ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ગઈ હતી.
ડાકોર મંદિરમાં સન્મુખ દર્શન મામલે મોટા સમાચાર, આ લોકોને નિ:શુલ્ક દર્શનનો મળશે લાભ
ખેડબ્રહ્મામાં સ્વાધ્યાય પરિવાર ધ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીનું આયોજન કરાયું છે. ત્યારે જીપ ડાલું બનાસકાંઠાના દાંતાના રાયણીયાથી ખેડબ્રહ્મા આવતા હતા. ત્યારે આ અકસ્માત થયો છે. જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મટોડા CHC ખસેડાયા હતા. જ્યારે અમુક ગંભીર લોકોને વધુ સારવાર અર્થે ઈજાગ્રસ્તોને 108માં ખેડબ્રહ્મા ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ખેરોજ પોલીસે ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી.
Gujarat Weather: આગામી સાત દિવસ વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે આપી દીધો જવાબ
બીજી બાજુ અકસ્માતની આ ઘટનાને લઇ રોડ ઉપર સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળા જોવા મળ્યા હતા. તો થોડીવાર માટે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.
ફરી વાગ્યો ડંકો! 80 ટકા ભારતીયોને PM મોદી પર હજુ વિશ્વાસ, વિશ્વમાં ભારતનું વધ્યું કદ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે