Home> Gujarat
Advertisement
Prev
Next

ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા પાવગઢ પર સોનાના કળશ: ઇતિહાસમાં પ્રથમ વખત 14.50 કરોડના 8 કળશ પ્રસ્થાપિત

મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોનાના દાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશની પૂજા વિધી કરી સ્થાપના કરવામાં આવી છે. 

ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા પાવગઢ પર સોનાના કળશ: ઇતિહાસમાં પ્રથમ વખત 14.50 કરોડના 8 કળશ પ્રસ્થાપિત

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: યાત્રાધામ અને શક્તિપીઠ પાવગઢ ખાતે હાલ નવીનીકરણ અને વિકાસનું કાર્ય અંતિમ તબક્કામાં છે, ત્યારે મહાકાળી નિજ મંદિર ઉપર ઇતિહાસમાં પ્રથમ વખત સોનાના કળશ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જે હાલ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

fallbacks

શક્તિપીઠ પાવગઢ ખાતે મહાકાળી મંદિરનું નવીન મંદિર બન્યા બાદ મંદિરની ટોચ પર આવેલ મુખ્ય શિખર પર સોનાના આઠ કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મંદિરના શિખરનું કામ પૂર્ણ થતાં દાતાઓ તરફથી મળેલ સોનાના દાનમાંથી પ્રથમવાર મંદિરના મુખ્ય શિખર સહિત કુલ 8 શિખરો પર સોનાના ઢોળ ચઢાવેલ કળશની પૂજા વિધી કરી સ્થાપના કરવામાં આવી છે. 

fallbacks

કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિ.ગ્રા.નો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય 2 ફૂટના 7 શિખરો પર પણ સોનાનો ઢોળ ચઢાવી કળશ સ્થાપીત કરવામાં આવ્યા હતા. આ કડશો હાલ પાવગઢ મંદિરની શોભા વધારી રહ્યા છે અને ભક્તોમાં પણ આકર્ષક ઉભું કરી રહ્યા છે.

હાલ નિજ મંદિર પર 2 ફૂટના એક કળશ પર 200 ગ્રામ લેખે 7 નાના કળશ પર રૂા.7 કરોડના 1.4 કિ.ગ્રા. સોનાનો ઢોળ ચઢાવી પૂજા અર્ચના કરી મંદિરના નાના શિખરો પર સ્થાપિત કરાતાં માતાજીનું મંદિર પર પ્રથમવાર સોનાના કળશથી સુશોભિત થયું હતું. 

fallbacks

પાવાગઢ મંદિર પર દાતાઓ તરફથી દાનથી મળેલા રૂા.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનો ઉપયોગ કરીને નવીન બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત થતાં મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube       

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More