Home> Gujarat
Advertisement
Prev
Next

ઉનાળાની વેકેશનમાં ગુજરાત ફરવાનો સુવર્ણ અવસર; GSRTC લોન્ચ કરી 'મન ફાવે ત્યાં ફરો' યોજના

મન ફાવે ત્યાં ફરો’ યોજના. ઉનાળાનાં વેકેશનમાં ગુજરાતના વિવિધ સ્થળોની મુસાફરી કરવાનો અનેરો અવસર. ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો અમદાવાદ, સુરત, મહેસાણા અને રાજકોટના મુસાફરોએ સૌથી વધુ લીધો લાભ. છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૮૦ મુસાફરોના પાસ ઇસ્યુ કરીને નિગમને રૂ.૨૧ લાખથી વધુની આવક.

ઉનાળાની વેકેશનમાં ગુજરાત ફરવાનો સુવર્ણ અવસર; GSRTC લોન્ચ કરી 'મન ફાવે ત્યાં ફરો' યોજના

Man Fave Tya Faro Yojana Gujarat: ઉનાળાના વેકેશનમાં રાજ્યના નાગરીકો ગુજરાતની કલા-સંસ્કૃતિ-પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે તેમજ ઉદ્યોગ એકમો સાથે સંકળયેલા નાગરીકો ગુજરાતમાં પોતાના ઉદ્યોગને વિકસાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ફરી શકે તે માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના શરૂ કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતનાં મુસાફરોએ લીધો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં ૨૫૮૦ મુસાફરોના પાસ ઇસ્યુ કરીને નિગમે રૂ.૨૧ લાખથી વધુની આવક મેળવી છે. એમ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.  

fallbacks

પહેલગામ હુમલાના તપાસ એજન્સીઓએ જાહેર કર્યા આતંકીઓના ફોટા; જુઓ કેવા દેખાતા હતા ચહેરા 

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ યોજના હેઠળ મુસાફરોએ એસ.ટીની લોકલ-એક્સપ્રેસ-ગુર્જરનગરી બસોમાં સાત દિવસ મુસાફરી માટે પુખ્તવયના નાગરીકો રૂ.૧૫૯૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૯૩૫ ભરીને કરી શકે છે, જ્યારે બાળકો ૭ દિવસની મુસાફરી રૂ.૮૦૦ અને ૪ દિવસની મુસાફરી રૂ.૪૭૦ ભરી એસ.ટીની બસોમાં મુસાફરી કરી શકે છે. મુસાફરોએ લક્ઝરી-નોન એ.સી સ્લીપર કોચમાં સાત દિવસની મુસાફરી કરવા પુખ્તવયના નાગરીકોએ રૂ.૧૮૭૦ અને ચાર દિવસની મુસાફરી કરવા રૂ.૧૦૪૫ ચૂકવવાના રહેશે જ્યારે બાળકોને ૭ દિવસની મુસાફરી કરવા રૂ.૯૩૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૫૨૫ ચૂકવવાના રહેશે. 

'પપ્પાને હાથે વાગ્યુ છે', પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત, 1ને ઈજા

AC સીટર બસોમાં પુખ્તવયનાં નાગરીકો સાત દિવસ મુસાફરી રૂ.૩૬૮૫ અને ૪ દિવસની મુસાફરી રૂ.૨૧૪૫ ભાડું આપીને કરવાની રહેશે. બાળકોએ સાત દિવસ મુસાફરી રૂ.૧૮૪૫ અને ચાર દિવસની મુસાફરી રૂ.૧૦૭૫ ભાડું આપીને કરવાની રહેશે. વોલ્વો સીટર બસ માટે પુખ્તવયના નાગરીકો સાત દિવસનું ભાડું રૂ.૫૬૧૦ અને ચાર દિવસની મુસાફરી રૂ.૩૨૪૫ ચૂકવીને કરી શકે છે. જ્યારે બાળકોએ સાત દિવસની મુસાફરી રૂ.૨૮૦૫ ચાર દિવસની મુસાફરી રૂ.૧૬૨૫ ખર્ચીને કરવાની રહેશે.

જન્મદિવસને યાદગાર બનાવવા કાશ્મીર ગયા..ને આતંકી ગોળીબારમા ગુજરાતી શૈલેષ કળથિયાનું મોત
 
આ યોજનાનો લાભ નિગમના કોઈપણ બસ સ્ટેશન-કંટ્રોલ પોઈન્ટ ઉપરથી કામકાજના દિવસોમાં મેળવી શકાશે. આ યોજનાનો પાસ અન્ય વ્યક્તિને તબદિલ કરી શકાશે નહિ, પાસધારક પોતે જ પ્રવાસ કરી શકશે. પ્રવાસ રદ કરવાના સંજોગોમાં પાસ શરુ થવાના ૧ દિવસ અગાઉ પાસ રદ કરવામાં આવે તો જરૂરી કેન્સલેશન ચાર્જ કાપી બાકી રકમ પરત કરવામાં આવશે. નિગમની એક્સ્ટ્રા બસોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી. પ્રવાસ દરમ્યાન મુસાફરે ઓળખકાર્ડ અને પાસ સાથે રાખવાનો રહેશે તેમજ આ યોજનામાં પાસધારક પાસેથી ટોલટેક્ષની રકમ ફરજ ઉપરના કંડકટરે અલગથી વસુલ કરવાની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More