Gondal News : રાજકોટના ગોંડલમાં પાટીદાર યુવાનને માર મરાતા સમાજમાં રોષ જોવા મળ્યો છે. યુવાનને માર મારતો વીડિયો વાયરલ થયો છે. ત્યારે હવે ગોંડલ ક્રાઈમનું કેન્દ્ર બન્યું છે. ફરી એકવાર ગોંડલ ફોકસમાં આવ્યું છે. પરસોત્તમ પીપળીયાએ ગોંડલને સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર ગણાવ્યું છે.
ગોંડલમાં પાટીદાર યુવાનને માર મારતા સમાજમાં રોષ
રાજકોટના ગોંડલ પાટીદાર યુવાનને માર મારવાનો મામલો બિચક્યો છે. અનેક પાટીદાર નેતાઓ આ મામલે રોષ વ્યક્ત કર્યો છે. પાટીદાર નેતા દિનેશ ભામણિયાએ રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે, સરકાર આવા આરોપી સામે કાર્યવાહી કરે તેવી માગ કરી છે. આ મામલે પાટીદાર નેતા વરૂણ પટેલે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે. તેમણે લખ્યું કે, પટેલ વોટ આપે, નોટ આપે અને પછી માર પણ ખાય. પોલીસ માત્ર એક જ ગ્રુપનું આધિપત્ય જણવાઈ રહે તેના માટે પ્રવક્તા બને. ગુજરાતના અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી કેમ?
વડોદરાના રક્ષિતકાંડમાં નવો વળાંક, કારનો ડેટા બનશે મજબૂત પુરાવો, ખુલશે નવા રહસ્યો
તો આગેવાન પરસોત્તમ પીપળીએ એ ગોંડલને સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર ગણાવ્યું. તેમની ગોંડલ સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર પોસ્ટ વાયરલ થઈ છે. રાજકોટના પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળીયા મેદાને આવીને ગુંડાઓની યાદીને લઈને પણ સવાલો ઉઠાવ્યા. પીપળીયાએ કહ્યું કે, ગુંડાઓની યાદીનો મનપાની ચૂંટણીમાં ઉપયોગ થશે. ગુંડાઓનો ઉપયોગ ચૂંટણીમાં કરવામાં આવે છે.
5 આગેવાનો સમાજને ભયભીત કરે છે
રાજકોટના ગોંડલમાં સગીરને માર મારવા મામલે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. આરોપીઓને વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે. પાટીદાર આગેવાન ધર્મેશ બુટાણીએ કહ્યું કે અમારા પાટીદાર સમાજમાં 5 એવા આગેવાનો છે જે માત્ર સમાજનો ઉપયોગ કરે છે. દર વખતે આ આગેવાનો સમાજન ભયભીત કરે છે. ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજને ટિકિટ મળતી નથી. 5 આગેવાનોના કારણે ગોંડલમાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ મળતી નથી.
પાટીદાર આગેવાનોમા રોષની લાગણી
ધર્મેશ બુટાણીએ કહ્યું કે, અમારા પાટીદાર સમાજમાં 5 એવા આગેવાનો છે જે માત્ર સમાજનો ઉપયોગ કરે છે. દર વખતે આ આગેવાનો સમાજને ભયભીત કરે છે તેથી સમાજ આખો ગુમરાહ થાય છે. આ પાંચેય આગેવાનોને સમાજ પણ ઓળખે છે માટે નામ આપવાની જરૂર નથી. ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજની વસ્તી 80 ટકા છે. ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજની ટિકિટ મળતી નથી. આગાઉ આશિષ કુંજડિયાને મારની ઘટના બની ત્યારે પણ આગેવાનો ચુપ રહ્યાં. 5 આગેવાનોના કારણે ગોંડલમાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ મળતી નથી. અમારી એક જ માંગ છે આ બની બેઠેલા આગેવાનોને સમાજ ઓળખે.
તો બીજી તરફ, ગોંડલમાં રાજસ્થાનના જાટ યુવકના મોતનો મામલો પણ તૂલ પકડી રહ્યો છે. રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી રામલાલ જાટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને સમગ્ર મામલે CBI તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે પોલીસ જાહેર કરેલ વીડિયો પર વિશ્વાસ નથી. સ્થાનિક પોલીસ પર ભરોસો નથી તેમને સસ્પેન્ડ કરવામાં આવે.
કચ્છીઓની 22 વર્ષની તપસ્યા ફળી, આખરે આજે શરૂ થઈ ભુજ-રાજકોટ ટ્રેન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે