Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવું આવ્યું, સગીરાએ 28 લોકો સામે કોર્ટમાં કરી ફરિયાદ

Ribda Patidar Youth Suicide Case : સગીરાએ ગોંડલ કોર્ટમાં જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલને ભરાવ્યા... 28 લોકો સામે FIR નોંધાવી... ફરિયાદમાં 6 પીઆઈ, ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા સામે ગંભીર આક્ષેપ કર્યાં

ગોંડલના પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં નવું આવ્યું, સગીરાએ 28 લોકો સામે કોર્ટમાં કરી ફરિયાદ

Amit Khunt Suicide Case : રીબડાના પાટીદાર યુવત અમિત ખૂંટ આત્મહત્યાનો કેસમાં નવો વળાંક આવ્યો છે. જેના પર હનીટ્રેપનો આક્ષેપ લાગ્યો છે, તે સગીરાએ મોટું પગલું ભર્યું છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં  દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પુત્ર ગણેશ જાડેજા, 6 પીઆઇ સહીત કુલ 28 લોકો સામે ફરિયાદ નોંધાવી. 

fallbacks

પોલીસ દબાણ પૂર્વક ખોટી રીતે 6 લોકોના નામ આપવા દબાણ કરતી હોવાનો સગીરાએ કોર્ટમાં આપેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ સગીરાએ ડીસીપી ઝોન-2 ના જગદીશ બાંગરવા સામે પણ આરોપ લગાવ્યા છે. ડીસીપીએ સગીરાને ‘તું 5 ફૂટની છો અને મોડલ બનવું છે?‘ ‘હાક થું...’ કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ સમગ્ર મામલે તપાસ SMCને સોંપવામાં આવે તેવી  માંગ કરાઈ છે. સગીરાની ફરિયાદ બાદ કોર્ટ દ્વારા 1.7.2025 સુધીમાં સીસીટીવી ફુટેજ રજૂ કરવા પોલીસને નિર્દેશ કરાયો છે. 

વિસાવદરમાં એવું તો શું થયું કે બે બુથ પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે

ગત વખતે કોર્ટમાં નિવેદન આપ્યું હતું  
ગત વખતે સગીરાએ JMFC ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, મારા પર દુષ્કર્મ થયું છે જો કે પોલીસ મને ખોટી રીતે ફસાવી રહી છે. જયરાજસિંહ જાડેજાના માણસો દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. પીડિતાએ આ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યા હતા. વકીલ મારફતે સગીરાએ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન રજૂ કર્યું હતું. વકીલે આ કેસમાં અલગ ગુનો દાખલ કરવાની માંગ કરી હતા. દુષ્કર્મનો ભોગ બનનાર 17 વર્ષીય સગીરાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ સમક્ષ નિવદેન આપ્યું છે કે જયરાજસિંહ જાડેજાના માણસોએ ખોટા નિવેદન આપવા બાબતે દબાણ કર્યું હતું. અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને હું ક્યારેય મળી પણ નથી અને ઓળખતી પણ નથી. બંને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા છે. અમિત ખૂંટે મારા પર બળાત્કાર કર્યો હતો. મને અને મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે

પોલીસ પકડથી દૂર છે 
ગત 5મી મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. તેમજ મૃતકે ગળાફાંસો ખાતા પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જે સ્યુસાઇડ નોટ તપાસના કામે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કબ્જે પણ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણ સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તમે 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે બનાવ બન્યાના 11 દિવસ બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા અને મિસ્ટર X એટલે કે રહીમ મકરાણી આજ દિવસ સુધી પોલીસ પકડથી દૂર છે.

અંબાલાલનો મોટો ધડાકો : ગુજરાતની નદીઓમાં પૂર આવશે, 21 થી 23 જુનમાં આવશે અતિભારે વરસાદ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More