Gondal News : રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. 2 વકીલ અને 2 યુવતીની ધરપકડ બાદ તેમની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો. ગ્રામ્ય LCBએ રાજકોટના સંજય પંડિત અને દિનેશ પાતર નામના એડવોકેટને ઉઠાવી જઈને બંધ બારણે પૂછપરછ કરતાં સમગ્ર કાંડનો ઘટસ્ફોટ થયો.
અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવાયો હતો
આ કેસમાં ખુલાસો થયો કે, અમિત ખૂંટને દુષ્કર્મના કેસમાં ફસાવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી પુજા રાજગોરનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી અમિતનો સંપર્ક કરવો, મિત્રતા પ્રેમ સંબંધ કેળવી શરીર સંબંધ બાંધવા તેમજ બળાત્કારની ખોટી ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. બદલામાં તમારી લાઈફ બની જશે, સારામાં સારી નોકરી પણ મળી જશે તેવી ઓફર કરાવી હતી.
ગુજરાત પોલીસના ઈતિહાસનું પ્રથમ મેગા ડિપોર્ટ ઓપરેશન, 300 ઘૂસણખોરો બાંગ્લાદેશ રવાના
બંને યુવતીઓને રૂપિયાની જરૂર હતી
પૂજા રાજગોર તેમજ તેની સાથે રહેલી 17 વર્ષીય સગીરાને પૈસાની જરૂરિયાત હોવાથી ખોટી ફરિયાદ કરવા બાબતે તૈયાર થયા હતા. ફરિયાદના સમયે વકીલ સંજય પંડિત તેમજ દિનેશ પાતર શરૂઆતથી અંત સુધી તમારી સાથે રહેશે તેવું પણ જણાવાયું હતું. ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર, સગીરા તેમજ બંને વકીલોની અટકાયત કરવામાં આવી છે.
બે વકીલો સંજય પંડિત અને દિનેશ પાતરે કાવતરૂ રચ્યું
પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા કે, પોલીસ તપાસમાં પૂજા રાજગોરે કોઇ વ્યક્તિના કહેવાથી સગીર યુવતીને માહિતી આપી હતી. અમિત સહિત તેના મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. અમિતે ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતાની સાથે જ તેની વિરુદ્ધ કાવતરૂં નક્કી કરવામાં આવ્યું હતું. બે વકીલો સંજય પંડિત અને દિનેશ પાતરે કાવતરૂ રચ્યું હતું. આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિંહ જાડેજા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઇ છે. તેમજ સમગ્ર કાંડમાં એક કથિત પત્રકારની પણ ભુમિકા હોવાની પણ શક્યતા છે.
કોણ છે પૂજા રાજગોર?
પોલીસની પ્રાથમિક તપાસમાં પૂજા રાજગોરના અગાઉ લગ્ન થઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ લગ્ન બાદ તેણે પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા છે. તેમજ હાલ મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે. પૂજા રાજગોર અને 17 વર્ષીય સગીરા છેલ્લા ચારેક મહિનાથી ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. તેમજ બંને રાજકોટની એક હોટલમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અમિત ખૂંટ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3મેં 2025ના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયાના બે દિવસ બાદ અમિતે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટી ખબર: પ્રોત્સાહક ઈનામની રકમમાં 20 હજારનો વધારો કરાયો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે