ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતના ગામડાંની શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ઘણા એવા શિક્ષકો મળ્યા હતા કે શાળાઓમાં ચાલુ નોકરીએ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. તાજેરમાં બનાસકાઠાંમાં એક શિક્ષકનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સરકારે તમામ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અનેક શિક્ષકોની પોલંપોલ ખૂલી ગઈ હતી. ભારે હોબાળો થતાં શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે અને રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયા છે. રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે ગુજરાતમાં ગેરહાજર શિક્ષકોને બરતરફ કરાયા છે. જી હા...રાજ્યના 134 ગેર હાજર રહેતા શિક્ષકોને બરતરફ કરાયા છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાનો ખુલાસો થયો છે. જેમાં વિદેશ પ્રવાસે ગયેલા શિક્ષકોમાંથી 44ને નોટીસ પાઠવવામાં આવી છે. નગર શિક્ષણ સમિતિ હસ્તકના ૩ શિક્ષકોને બરતરફ તો 3ના રાજીનામા સ્વીકારાયા છે. બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70માંથી 58 શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી છે.
કાળજુ કંપી જાય તેવો અકસ્માત, અમેરિકા જવાની હતી તે પહેલા જ પટેલ પરિવારની દીકરીનો અકસ્
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 17 જિલ્લાઓના 31 શિક્ષકો વિદેશ ભાગી ગયા હોવાનો ખુલાસો થયો હતો. આ આંકડો તો સરકારી છે.. રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો જાણે રાફડો ફાટ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાય હતી. જોકે, હવે આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારે પણ કમર કસી છે. જોકે, બીજી તરફ અમેરિકાથી એક શિક્ષિકાએ વીડિયો મેસેજ કરીને એક ખુલાસો કર્યો છે જે બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે.
ગેર હાજર શિક્ષકોની માહિતી:-
ભારતને મળ્યો વધુ એક ઝટકો, ટોક્યોમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી સસ્પેન્ડ
સરકારી આંકડા પ્રમાણે 17 જિલ્લાઓના 32 શિક્ષકો વિદેશ ભાગી ગયા.. ત્યારે આ શિક્ષકોને છાવરતા અધિકારીઓ સામે પણ શિક્ષણ વિભાગ પગલા લેવાની તૈયારી કરી રહ્યુ છે.તમામ જિલ્લાની માહિતી એકઠી કરીને સરકાર એક્શન લેશે. આ બાબતે શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી. માનવતાના અભિગમથી કર્મચારીઓને બે,ત્રણ કે છ મહિનાની રજા અપાતી હોય છે. ત્યારે હકનો દુરૂપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઇ શકે તે અંગે સરકાર ચર્ચા વિચારણા કરશે.
આ ફોર્મ્યુલાથી મુકેશ અંબાણીના પુત્રએ 18 મહિનામાં ઘટાડ્યું 108 કિલો વજન!
તો બીજી તરફ ભૂતિયા શિક્ષકોને લઈને હવે કોંગ્રેસ પણ સરકાર પર આક્રામક છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભૂતિયા શિક્ષકોને લઈને સરકાર પર ગંભીર પ્રહાર કર્યા.. મનીષ દોશીએ કહ્યું કે, ગેરહાજર શિક્ષકોની તપાસ કરવામાં પણ સરકારની લાલિયાવાડી જોવા મળી રહી છે. તો બીજી તરફ બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાથમિક શાળામાં ભૂતિયા શિક્ષિકા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.. પરદેશમાં રહેતા શિક્ષિકા ભાવનાબેન પટેલ સામે આવ્યા છે.. શિક્ષિકા ભાવનાબેન પટેલે કહ્યું કે મારે અમેરિકા જવાનું હતું એટેલે મારે NOC લેવાની હતી અને હું જિલ્લા પંચાયતની NOC લઈને અમેરિકા ગઈ છું..
મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશા
શિક્ષિકા ભાવના પટેલના દાવા બાદ દાંતાના TPOનું મોટુ નિવેદન સામે આવ્યું છે.. TPOએ કહ્યું છે કે શિક્ષિકા ભાવનાબેનના રજા રિપોર્ટમાં NOC એટેચ નથી.. જિલ્લા પંચાયત તરફથી મળતી NOC ભાવનાબેનના રજા રિપોર્ટમાં નથી. ભૂતિયા શિક્ષકોના કૌભાંડની શરૂઆત બનાસકાંઠા જિલ્લાથી જ થઈ હતી. જોકે, આ બધા વચ્ચે બનાસકાંઠાના અંબાજીના મગવાસમાંથી વધુ એક ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ થયો. મગવાસ શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક છેલ્લા 1 વર્ષથી ગાયબ હોવાનું જાણવા મળ્યું. જય ચૌહાણ નામનો શિક્ષક એક મહિનાની નોકરી બાદ ક્યારેય શાળાએ હાજર થયો જ નથી. આ તમામ ઘટનાઓ વચ્ચે શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું જાણાવ્યુ છે. જેમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાયદાકીય પગલા લેવાનો નિર્ણય કર્યો હોવાનું પણ સામે આવ્યું છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે